મુકેશ અંબાણીએ લંડનમાં ખરીદ્યો સુંદર પેલેસ લાગે છે એન્ટિલિયાથી પણ આલીશાન જાણો શું છે કિંમત જુઓ ફોટોસ આલીશાન પેલેસના…
મુકેશ અંબાણિનું નામ વિશ્વના 15 સૌથી અમીર લોકોમાંથી એક છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પરિવાર ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે. મુંબઈ સ્થિત એન્ટિલિયા મુકેશ અંબાણિ નું ઘર કોઈ આલીશાન મહેલથી કમ નથી. એન્ટિલિયાની સુંદર ઈમારતમાં 27 માળ છે અને આ આલીશાન ઈમારત 40000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. 11000 કરોડના ખર્ચે બનેલા એન્ટિલિયા ભવનમાં 600 કર્મચારીઓ કામ કરે છે. આલીશાન બિલ્ડિંગમાં 168 કાર માટે 7 માળની પાર્કિંગ છે. આ સાથે 50 લોકો માટે સ્વિમિંગ પૂલ, બોલરૂમ, 3 હેલિપેડ, મંદિર, બગીચો, 2 માળનું આરોગ્ય કેન્દ્ર અને હોમ થિયેટર છે.તો હવે સમાચાર આવી રહ્યા છે મુકેશ અંબાણિ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થવા જઇ રહ્યો છે.તો જાણીએ કેવો છે પેલેસ શું છે પેલેસની કિમત..
આલીશાન પેલેસ 300 એકરમાં ફેલાયેલો છે. મળતી માહિતી મુજબ 592 કરોડમાં પેલેસ ખરીદવામાં આવ્યો છે આ ઘરમાં કુલ 49 બેડરૂમ બનાવવામાં આવ્યા છે. આ સુંદર ઘર તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. સૂત્રોને મિડડેએ અહેવાલ આપ્યો છે કે અંબાણી પરિવાર બકિંગહામશાયરના સ્ટોક પાર્કમાં 300 એકરના ક્લબમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યો છે.
ભારત નું ઘર છોડી લંડન રહેવા જવાના કારણમાંતમને જણાવી દઈએ કે, અંબાણી પરિવાર લોકડાઉન અને કોરોના વાયરસને કારણે બીજું ઘર ખરીદવાનું વિચારી રહ્યો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે અંબાણી પરિવારને એવી મિલકત જોઈતી હતી જે લોકડાઉન પછી ખુલ્લી હોય. મુંબઈમાં આવેલી ઈમારત જેવી નથી. એટલા માટે ગયા વર્ષથી તેની શોધ શરૂ કરવામાં આવી હતી. સ્ટોક પાર્ક ડીલ ફાઇનલ થયા બાદ ઓગસ્ટથી તેનું રિનોવેશન ચાલી રહ્યું હતું.
વધુમાં જોઇયે તો, આ દિવાળી અંબાણી પરિવારે પોતાના નવા ઘરમાં પણ સેલિબ્રેટ કરી છે. અને દિવાળીની ઉજવણી કર્યા બાદ હવે અંબાણીનો આખો પરિવાર ટૂંક સમયમાં ભારત પરત ફરવા જઈ રહ્યો છે. બીજી તરફ સૂત્રોનું માનીએ તો આખો પરિવાર સંપૂર્ણ કાયદા સાથે એપ્રિલ 2022માં ત્યાં રહેવાની તૈયારી કરી રહ્યો છે.