જામનગરના એક ખેડૂતે પોતાનાજ ખેતરના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું ! કારણ માત્ર એટલું કે…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક ખેતી કામ કરતા ખેડૂતે ગળેફાંસો મોતને કર્યું વ્હાલું. કારણ જાણી તમે પણ ધ્રુજી જશો. આવો તમને આ આપઘાતનો કિસ્સો વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આપઘાતનો આ ધ્રુજાવી દેતી ઘટના જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકના ગોલીટા ગામમાંથી સામે આવી રહ્યો છે જ્યાં રહેતા એક ખેડૂતનું ખેતીમાં વર્ષ નબળું જતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે. ખેડૂતને ખેતીમાં સારી ઉપજ ન થતા રિક્ષા ચલાવતા હતા પરંતુ, તેમાં પણ આર્થિક સંકડામણ અનુભવવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોધાયું છે. પોલીેસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં ગોલીટા ગામના નવલભાઈ બાળાએ પોતાની વાડીએ ઝાડમાં દોરી બાંધી જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસ સમક્ષ જાહેર કરાયેલી વિગત મુજબ મૃતક નવલભાઈને આ વર્ષે ખેતીમાં નબળું વર્ષ ગયું હતું. તે રિક્ષા ડ્રાઈવીંગ કરતા હતા પરંતુ, તેનાથી આર્થિક સંકડામણ દૂર થતી ન હતી. જેથી પરિવારની ચિંતામાં પોતાની વાડીએ આંબલીના ઝાડ સાથે દોરી બાંધી આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે.
આ અંગેની જાણ થતા એએસઆઇ એમ.પી. મોરી તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો આ ઘટનાને લઈને વાત કરવામાં આવે તો લોકો આજના સમયમાં ક્યારે જીવન ટૂંકાવી લેતા હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. જેમ આ યુવકે પોતાના જીવનનો અંત લાવી દીધો, તેવીજ રીતે દેશમાં ઘણા ખેડૂતો આ પગલું ભરી લેતા હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો