રશિયન યુવતીએ મુસ્લિમ પતિને છોડીને હિન્દુ યુવક સાથે કરી સગાઈ! આવું કરવા પાછળ નુ કારણ જાણી આંચકો લાગશે

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક રશિયાની યુવતીએ તેના મુસ્લિમ પતિબાને છોડીને એજ હિન્દૂ યુવક સાથે કરી સગાઈ. આ સગાઈ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે. આવો તમને વિગતે જણાવીએ.

બંનેની સગાઈ થઇ ગઈ તેની જાણ આ યુવતીએ પોતે સ્ટોરી મૂકીને કરી હતી. જે બાદ તે બંનેની ચારેય તરફ ચર્ચા થઇ રહી છે. વાત કરવામાં આવે તો આ યુવતીની બે કહાની છે જેમાંથી એક કહાનીમાં તેણે તેના મુસ્લિમ પતિને છોડી મુક્યો જેના કારણ હતું કે તેનો મુસ્લિમ પતિ તેને વારંવાર ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરતો હતો જે બાદ તેથી કંટાળી આ યુવતીએ તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો જે બાદ કૃષ્ણની ભક્ત બની હતી. કૃષ્ણ પ્રત્યેની ભક્તિને કારણે તેણે તેના પતિથી પણ છૂટાછેડા લીધા હતા.

કૃષ્ણની ભક્તિમાં ડૂબેલી એક રશિયન મહિલા પોતાનો દેશ છોડીને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુર શહેરમાં સ્થાયી થઈ ગઈ છે. અહીં તેને એક ભારતીય છોકરા સાથે પ્રેમ થયો અને બંનેએ સગાઈ પણ કરી લીધી છે. તમને વાત કરીએ તો રશિયન મહિલાનું નામ સ્વેત્લાના ઓચિલોવા છે. તેણે જણાવ્યું કે, તે વ્યવસાયે ગ્રાફિક ડિઝાઇનર છે. તેણીએ એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. પરંતુ પાછળથી સ્વેત્લાનાનો ઝોક કૃષ્ણની ભક્તિ તરફ જવા લાગ્યો. સ્વેત્લાના વર્ષ 2012માં પ્રથમ વખત કૃષ્ણ ભક્તોને મળી હતી. જેના કારણે તેણીનો પતિ સાથે ઝઘડો થવા લાગ્યો હતો.

સ્વેત્લાનાએ તેના પહેલા પતિ વિશે આરોપ લગાવ્યો કે “તે કૃષ્ણના ભક્તોને નફરત કરતો હતો. સ્વેત્લાના કહે છે, તેણે મને ભક્તોને મળવાથી રોકી હતી. તેઓએ મને ઘણી વખત માર માર્યો અને ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ પણ કર્યું”. આમ પતિ સાથે આવરા નવાર થતા આ ઝઘડાથી કંટાળીને સ્વેતલાનાએ પતિનું ઘર છોડી દીધું અને પુત્ર સાથે તેના માતા-પિતા સાથે રહેવા ચાલી ગઈ. જે બાદ વર્ષ 2016થી, સ્વેત્લાનાએ કૃષ્ણની ભક્તિના માર્ગ પર સંપૂર્ણ રીતે ચાલવાનું નક્કી કર્યું. તે 1 વર્ષ સુધી તેના પતિથી અલગ રહી. તેણીએ મંદિરોની મુલાકાત લેવાનું શરૂ કર્યું, આ દરમિયાન તે પ્રથમ વખત ભારત પણ આવી.

આમ પતિના અલગ થયાના 1 વર્ષ પૃરુ થઇ ગયું સ્વેત્લા જણાવે છે કે “2017માં પહેલી વાર મ મારા પતિ સાથે આરામથી વાત કરી. તેણે મને કૃષ્ણ અને પતિ વચ્ચે પસંદ કરવાનું કહ્યું. તેથી મેં કૃષ્ણને પસંદ કર્યા. આ પછી અમે બંનેએ છૂટાછેડા લીધા. તે પછી, તે ક્યારેય મારી અને મારા પુત્રની વચ્ચે આવ્યો નથી.આમ સ્વેત્લા ભારત આવીને રહેવા લાગી જે બાદ તેની મુલાકાત રોશન ઝા સાથે થઈ હતી. તે કૃષ્ણના ભક્ત પણ છે. બંને વચ્ચે સારી સમજણ વિકસી હતી. આ પછી બંનેએ તાજેતરમાં સગાઈ કરી હતી. સગાઈની જાહેરાત કરતા સ્વેત્લાનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, તે ખરેખર અમારું ધ્યાન રાખે છે. રોશન ઝાએ મને મારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે સ્વીકારી છે. તે મને પ્રેમ કરે છે. તેણે મારા પુત્રને પોતાના પુત્ર તરીકે દત્તક લીધો છે. આમ રોશન અને સ્વેત્લાની સગાઈ વૃંદાવનમાં યમુના નદીના કિનારે થઈ હતી. આ પ્રસંગે બંનેના ઘણા મિત્રો પણ હાજર હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *