કડીમાં ધોરણ 12માં અભ્યાસ કરતા યુવકે કેનાલમાં ઝંપલાવી મૌતને વ્હાલું કરી લીધું ! કારણ છે ખુબ ચોકાવી દેતું…

હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી હાલમાં નાના બાળકો પણ આવા દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે. તેવીજ રીત હાલ એક ધ્રુજાવી દેતો આપઘાત નો કિસ્સો સામે આવી રહ્યો છે. જેનું કારણ જાણી તમે પણ ચોકી ઉઠશો.

તમને જણાવીએ તો આત્મહત્યાનો આ કિસ્સો કડી માંથી સામે આવી રહ્યો છે જ્યાં કુંડાળા ગામે રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો મૌલિક પ્રજાપતિએ નદીમાં કૂદી આપઘાત કરી લીધો છે. સમગ્ર ઘટના જાણી તમને પણ નહિ આવે વિશ્વાસ. થયું એવું કે જ્યારે તે ઘરેથી કારણે લઈને નીકળ્યો હતો. જે બાદ કાર રોડ પરના ડિવાઈડર અથડાતા તેનો અકસ્માત થયો હતો. આમ જે બાદ મૌલિક પોતાના ઘરે પાછો આવી હ્યો હતો અને આ અકસ્માત બાબતે તેણે પોતાના પિતા મહેશભાઈ પ્રજાપતિને કરી હતી. જોકે પછી તરતજ બપોર પછી મૌલિક પરિવારના કોઈપણ સભ્યને જાણ કર્યા વગર ઘરેથી બહાર નીકળી ગયો હતો.

કારણકે તેને ડર હતો કે અકસ્માત બાબતે તેના પિતા તેને બોલશે. આમ જ્યારે મૌલિક ઘરથી બહાર ગયો તે બાદ તેના પિતા ઘરે આવ્યા હતા. અને જ્યારે તેમણે પોતાના દીકરા અંગે ઘરે પૂછ્યું તો મૌલિક ઘરે હાજર નો હતો. આમ જ્યારે 3 વગ્યા તો પણ મૌલિક ઘરે ના આવતા તેમણે મૌલિકની શોધખોલ શરૂ કરી દીધી હતી. અને જ્યારે અંતે મોદી રાત સુધી મૌલિક નો મળ્યો તો પરિવારજનોએ પોલિશ સ્ટેશનમાં જઈને આ અંગે જાણ કરો હતી. જે બાદ મૌલિકની કડીના કરણનગર પાસે આવેલ મુખ્ય નર્મદા કેનાલ પાસે તપાસ કરતાં તેમના દીકરાની કાર તેમ જ મોબાઈલ મળી આવ્યા હતા.

આમ જ્યાં તેઓએ નર્મદા કેનાલમાં પણ તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમના દીકરો વિશે કાંઈ જાણવા મળ્યું નહોતું. દીકરાના મિત્રો પાસે પણ તપાસ કરાવી હતી પરંતુ કંઈ ભાળ મળી નહોતી. છેવટે દીકરાની લાશ કડીની આદુન્દ્રા કેનાલમાંથી મળી આવતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આમ મૌલિકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બાદમાં મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી દવેમાં આવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *