ભાવનગર : શ્રમજીવી પરિવારના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ! સ્યુસાઇડ નોટમાં જણાવી હકીકત કે,” હું મારી…જાણીને કંપી જશો

મિત્રો હાલ છેલ્લા સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતના ધ્રુજાવી દેતા કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. આજનો સમય એવો થઇ ચુક્યો છે કે વ્યક્તિ કોઈ પણ બાબતે ખોટી લાગી આવતા આત્મહત્યાનું પગલું ભરી લેતો હોઈ છે. તેમજ જ્યારે જ્યારે પણ કોઈ આપઘાત કરે છે ત્યારે તેની પાછળનું કારણ ઘણી વખત સામે આવતું હોઈ છે અને ઘણી વખત આ કારણ તે વ્યક્તિની સાથેજ દબાઈ જતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક યુવકે ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું છે. જતા જતા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. આવો તમને વિગતે બધીજ માહિતી આપીએ.

આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના ભાવનગર શહેરના વાળવા વિસ્તારમાંથી સામે આવી રહી છે જ્યાં રહેતા એક ગરીબ પરિવારના શિક્ષિત યુવક કે જેઓ હાલ બેરોજગાર હતા તેમજ તેમને સરકારી નોકરી મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છતાં તેઓને નોકરી ન મળતાં ડિપ્રેશનમાં આવી જતા રવિવારે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમના આ પગલાંને લીધે પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. સોરઠિયા પરિવારનો 30 વર્ષીય હિતેશ ભરતભાઈ સોરઠિયા કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરી મેળવવા પ્રયત્નશીલ હતો અને પોલીસની ભરતીમાં બેથી વધુ વખત જોડાયો હતો, પરંતુ પાસ ન થતાં હિંમત હારી ગયો હતો. પોતાનું સ્વપ્ન પૂરું નહીં થાય એવા માનસિક ડર સાથે ડિપ્રેશનમા સરી પડ્યો હતો. અને અંતે આપઘાતનું પગલું ભરી લીધું.

તેમજ મૃતક યુવાને લખેલી સુસાઇડ નોટ સામે આવી છે, જેમાં તેણે લખ્યું છે કે ‘હું મારી મરજીથી મરું છું, તો મારાં મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન ન કરતા. મને માફ કરી દેજો હું આ પગલું ભરુ છું તો… મારું સપનું હતું પોલીસ જવાન બનવાનું…’ આમ અંતિમ શબ્દો સાથે યુવાને આપઘાત કરી લીધો હતો. તેમજ મૃતક યુવાનના કાકા મનીષભાઈ સોરઠિયાએ જણાવ્યું હતું કે મારો ભત્રીજો પોલીસની તૈયારી કરતો હતો.

વધુ માં જણાવ્યું કે, તેને પગમાં ફેક્ચર થયું છતાં તેણે પોલીસમાં જવાની હાર ન માની તૈયારી કરી હતી. પણ છતાં પણ બીજી વખત પરીક્ષા આપી, પણ પછી હતાશ થઈ ગયો. એના હિસાબે આ પગલું ભર્યું છે અને લખાણ મૂકીને ગયો છે. આપઘાતની આ ઘટના બાદ સમગ્ર વડવા વિસ્તારમાં શોકનો માહોલ થવા પામ્યો હતો. તેમજ આ બનાવને લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા ગઇકાલે ઢળતી સાંજે મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *