મહાશિવરાત્રીના પર્વ પર ભવનાથ મહાદેવ પહોંચ્યા કિર્તીદાન ગઢવી, લાખો ભક્તોની કરશે સેવા…જુઓ તસવીરો
ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝમાં એવા ઘણાય કલાકારો છે, જેમની સાથે ગુજરાતીઓ ખૂબ જ જોડાયેલ છે. આજે આપણે એક એવા જ કલાકાર વિશે જાણીશું જેમનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ એટલું જ લોકપ્રિય છે. ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી એ સૌથી લોકપ્રિય કલાકારો ની યાદીમાં મોખરે છે. તેવામાં કિર્તીદાન ગઢવીને લઈને હાલ ખુબજ અનોખા અને સેવાકીય સમાચાર આવી રહયા છે આવો તમને વિગતે આ સમાચાર વિષે જણાવીએ.
તમને જણાવીએ તો હવે શિવરાત્રીના થોડાકજ દિવસો બાકી છે તેવામાં લાખો લોકો મહાદેવની ભક્તિમાં લિન થઇ જતા હોઈ છે અને આ શિવરાત્રીના અવસરને ધામધૂમ થી ઉજવતા હોઈ છે. તો વળી વાત કરીએ તો મહાશિવરાત્રીના પર્વને જૂનાગઢમમાં આવેલ ભવનાથ મંદિરે ખુબ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. અને ત્યાં લાખોંમી સંખ્યામાં લોકો આવતા હોઈ છે તેમજ આ અવસર પર મેળો પણ ભરાતો હોઈ છે.
તેવામાં ભક્તોને કેટલાય અન્નક્ષેત્રો નિઃ શુલ્ક ભોજન કરાવે છે.ત્યારે ભાવિકોની સેવા કરવામાં કિર્તીદાન ગઢવી પણ જોડાયા છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં અનેક ઉતારામાં અત્યાર સુધી કિર્તીદાન ગઢવી ભજન ગાવા આવતા હતાં. પરંતુ હવે પોતે જ લોકોની સાથે ભજન, ભોજન અને શિવની ભક્તિમાં લીન થશે.
આમ આ સાતે કિર્તીદાન ગઢવી દ્વારા સૌ પ્રથમ વખત જ મહાશિવરાત્રીના મેળામાં ઉતારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉતારાના આયોજનમાં લાખો લોકો અહીં બેસી શકે, આરામ કરી શકે, ભજન કરી શકે અને ભોજન કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમજ ચાર દિવસીય મેળામાં લાખો લોકો મેળાની મુલાકાત લેવા માટે ઉમટી પડશે. હાલ અનેક ક્ષેત્રોમાં 24 કલાક જમવાની વ્યવસ્થા થઈ શકે તેવી સવલતો ઉભી કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો