ગુજરાતનુ સૌથી બદનામ ગામ ! ગામ ની દરેક સ્ત્રી ને કરવો પડે છે દેહ વ્યાપાર…કારણ જાણી ચોંકી જશો
મિત્રો તમને જણાવીએ તો આજના સમયમાં પણ હજી લોકો દેહવ્યાપારનો ધંધો કરતા જોવા મળે છે જે ખુબજ ખરાબ અને શર્મનાક બાબત છે. તમને જણાવીએ તો ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં આજે પણ ઘણા પરિવાર દેહવ્યાપાર કરીને ગુજારો કરે છે. ગુજરાતનું આ વાડિયા ગામ દાયકાઓથી દેહ વ્યાપાર માટે કુખ્યાત છે આ ગામની બહેન દીકરીઓનું ભાવિ જન્મતા વેંત જ નક્કી થઈ જતું હોય છે કે તેને “દેહ વેપાર જ કરવો પડશે”. આ ગયા પાલનપુરથી થરાદ હાઈવે પર આવેલું છે.
તેમજ તમે બધા જાણોજ ચો કે હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી ત્યારે કહ્યું કે, રેડ લાઈટ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જ્યારે બનાસકાંઠાના થરાદ તાલુકામાં સેક્સ વર્કરોના ગામ તરીકે કુખ્યાત વાડિયા નામનું ગામ ચૂંટણી પંચના અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોના કાર્યકરોથી અસ્પૃશ્ય છે.વધુમાં જણાવીએ તો વાડિયા ગામની વસ્તી 700 આસપાસ છે. જેમાં 50 પરિવારો પરંપરાગત રીતે દેહવ્યાપાર પર નિર્ભર છે.
આમ આ પ્રથાને અહીં સમાપ્ત કરવા માટે સામાજિક કાર્યકરોએ ઘણી વખત પ્રયાસો કર્યા છે, છતાં પણ તેમના અથાક પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેમજ ઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ, મુજબ દિનેશ સરનિયા નામના 30 વર્ષીય ગ્રામીણ વ્યક્તિએ કહ્યું કે, આ ઉદાસીનતા આ ચૂંટણી માટે વિશિષ્ટ નથી. તેમણે કહ્યું કે “અગાઉની ચૂંટણીમાં પણ અમારી ઉપેક્ષા કરવામાં આવી હતી. અમે નજીકના ગામોમાં લાઉડસ્પીકર, ડ્રમ અને સૂત્રોચ્ચાર સાંભળીએ છીએ, પરંતુ ઉમેદવારો અમારા ગામમાં આવતા નથી.’ ગ્રામજનો દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓની યાદી આપતા સરનિયાએ જણાવ્યું હતું કે, તેમના ઘરો તેમના નામે નોંધાયેલા નથી, તેથી તેઓ તેનો લાભ લઈ શકતા નથી. અનેક કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત છે. સરનિયાએ કહ્યું કે, તેમના ગામમાં રસ્તા કે આરોગ્ય કેન્દ્ર જેવી કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી. અમારા પ્રશ્નો હલ કરવાની કોઈ હિંમત કરતું નથી. જોકે, તેણે એ નથી જણાવ્યું કે. તે કઈ નોકરી કરે છે.”
ત્યારે આજ ગામના એક શિક્ષકે જણાવ્યું કે,” શાળામાં ઓરડા નથી અને વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે, વાસ્તવિક સમસ્યા એ માનસિકતા છે, જે સરકારી અધિકારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વાડિયાથી દૂર રાખે છે. કેટલીકવાર જે લોકો સેક્સ વર્કર્સનો સંપર્ક કરવા માંગતા હોય તેઓ ઓફિસર બનીને થરાદ-ધાનેરા હાઈવે પરથી આ ગામમાં જવાનો રસ્તો પૂછે છે. જ્યારે વાસ્તવિક સરકારી અધિકારીઓ, જાહેર કાર્યકર્તાઓ અથવા રાજકીય નેતાઓ ક્યારેય આ સ્થળની મુલાકાત લેતા નથી.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.