પેલા ક્યારે પણ નહી જોયા હોય મોરારી બાપુ ના આવા જુના ફોટોસ ! જુઓ તસ્વીરો પહેલા કેવું જીવન
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત સદીઓથી સાધુ સંતો અને ભક્તોની ભૂમિ રહી છે ભારતમાં અનેક વિદ્વાનો અને સંતો એ જન્મ લઈને આ પાવન ધરાને પુણ્યશાળી બનાવી છે આવા સંતો કોઇપણ જાતનો ભેદ-ભાવ રાખ્યા સિવાય મનુષ્ય ધર્મ માટે લોકોને એક કરવા લોકોમાં પ્રેમ ફેલાવવા પ્રભુભક્તિ કરવા અને સમાજમાં શાંતિ સ્થાપવા માટે સમય સમય પોતાના વિચારો રજૂ કરતા હોય છે

લોકો પણ આ સંતોની વાણીને સાંભળે છે અને તેનું અનુકરણ કરે છે આ સંતો નિસ્વાર્થ ભાવે પોતાના જીવની પરવા કર્યા વિના સમાજ કાર્યકર્તા હોય છે આપણે આવા જ એક પ્રખર સંત વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના ઉપદેશોથી અને તો લોકોના જીવનને બદલી નાખ્યા છે તથા સમાજમાં પ્રભુભક્તિ ફેલાવવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે.

આપણે અહીં પરમ પૂજ્ય સંત મોરારી બાપુ વિશે વાત કરવાની છે આપણે સૌ તેમની કથા નો રસ પાન કરીને ધન્યતા અનુભવિએ છિએ જો કે આપણે અહીં અમુક એવી પણ વાતો જણાવશુ જેના વિશે અમુક જ લોકો ને ખ્યાલ હશે તો ચાલો આપણે આપણા લેખ ની શરૂઆત કરીએ.
સૌ પ્રથમ જો વાત મોરારી બાપુ ના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે મોરારી બાપુનો જન્મ 1946 માં 25 સપ્ટેમ્બર ના રોજ મહુઆ પાસે આવેલા તલગાજરામા એક વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમના પિતા નું નામ પ્રભુદાસ હરિયા છે જ્યારે તેમના દાદા નું નામ ત્રિભુવનદાસ છે.

જણાવી દઈએ કે બાપુ ના દાદાને રામાયણ માં ઘણી શ્રદ્ધા હતી. જેના કારણે બાળપણ માં રોજની 5 ચોપાઈ યાદ કરવા બાપુ ને તેમના દાદાએ કહ્યું હતું આજ કારણ છે કે મોરારી બાપુ ને આખું રામાયણ કંઠસ્થ છે જાણાવિ દઈએ કે તેઓ અભ્યાસ માટે તલગાજરા થી મહુઆ તે પગપાળા જતા હતા.