અમદાવાદ જાવ તો જન્દ્રવિલાસનું ચટાકેદાર ઊંધિયું જરૂર ખાજો ! સ્વાદ એવો કે ગાંધીજીથી લઇ અમિતાભ બચ્ચન પણ…છેલ્લા 100 વર્ષથી

જો વાત કરવામાં આવે તો ગુજરાતી લોકો વધુ પડતા હરવા ફરવા અને ખાણીપીણીમાં ખુબજ રસ ધરાવતા હોઈ છે. તો વાળું ગુજરાતની વાત પણ કઈંક અલગ છે જેમ તમે એક શહેર માંથી બીજા શહેરમાં જાવ છો ત્યાં તો દરેક શહેરની એક અલગ ઓળખ અને એક એલગ સ્વાદિષ્ટ વાનગીઓ જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે આજે અમે તમારી પાસે ખુબજ સ્વાદિષ્ટ વાનગી લઈને આવ્યા છીએ જેનું નામ સાંભળીનેજ તમારા મોઢામાં પાણી આવી જશે. આવો તમને આ સ્વાદિષ્ટ વાનગી વિષે વિગતે જણાવીએ.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે, અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદમાં ઉત્તરાયણની મજા માણતાં હોય અને જો ઉંધિયાનો સાચા અર્થમાં ટેસ્ટ માણવો હોય તો ચંદ્રવિલાસના ઊંધિયાનો ટેસ્ટ એક વખત ખાશો જિંદગીભર યાદ રહી જશે. આ સાંભળીને કદાચ તમે વિચારમાં પડી ગયા હશો પણ હા.. આ એજ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ જેના ફાફડાં જલેબી તમારી દાઠે વળગેલાં છે. જો તમને ચંદ્ર વિલાસના ઇતિહાસ વિષે જણાવીએ તો તેનો ઇતિહાસ ખુબજ રોચક અને રસપ્રદ છે. આ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ છેલ્લા 122 વર્ષથી ચાલી રહી છે. પરંતુ તેના ફાફડા-જેલીબીની સાથે સાથે છેલ્લા 100 વર્ષથી તેના ઊંધિયાનો ટેસ્ટ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે તેમની ચોથી પેઢી એટલે કે માલવ જોષી સાથે વાતચીત કરીને ચંદ્રવિલાસનું ફેમસ ઊંધિયું કઈ રીતે બને છે તેની સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ જાણી છે.

માલવભાઈ જોષીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આમતો લોકો અલગ અલગ રીતે ઊંધિયું બનાવતા હોય છે. પણ અમે ઊંધિયામાં નાખવામાં આવતા તમામ શાકભાજીને તળીને નાખીએ છીએ. જેની સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસસ જણાવું તો પહેલાં તો રતાળું, રવૈયા, બટેટા, શક્કરિયા, ગાજરને બરાબર રીતે સાફ કરીએ છીએ, એ પછી તેને બે ત્રણ વાર ચોખ્ખાં પાણામાં ધોઈ નાખીએ છીએ. ધોયેલા તમામ શાકભાજીને અમે 10થી 15 મિનિટ સુધી તેલમાં તળીને તૈયાર કરીએ છીએ. તેલમાં તળવા પાછળનું મુખ્ય કારણ એ જ છે કે જો તમે શાકભાજીને બાફીને ઊંધિયું બનાવો તો તેનો ટેસ્ટ લાંબા સમય સુધી બરકરાર રહેતો નથી જેથી અમે આ શાકભાજીને પહેલાં તળી નાખીએ છીએ. જેથી તે લાંબા સમય સુધી ટેસ્ટી અને ચટાકેદાર રહે છે. આ દરમિયાન સુરતી પાપડી, તુવેરના દાણાંને પણ 10 થી 15 મિનિટ સુધી બફાવા દઈએ છીએ. એટલે ઊંધિયું બનાવતા પહેલાં સૌથી પહેલાં અમે આટલી પ્રોસેસ કરીએ છીએ.

આમ આ સાથે વધુમાં જણાવ્યું કે આ પ્રોસેસ થઈ ગયા પછી ગેસ ઉપર કડાઈ મુકીએ છીએ, જેમાં તેલને લગભગ 5થી 10 મિનિટ સુધી ગરમ થવા દઈએ છીએે. જે બાદ તેમાં લીલા મરચાની પેસ્ટ સાથે તેમાં ગરમ મસાલો, મરચું, મીઠું, ખાંડ, હળદર અને અમે જાતે તૈયાર કરેલાં સિક્રેટ મસાલાને મિક્ષ કરીને તેનો વઘાર કરીએ છીએ. એ પછી એ તેલ અને પેસ્ટનું 5 મિનિટ સુધી બરાબર મિશ્રણ ન થાય ત્યાં સુધી તેને હલાવતાં રહીએ છીએ. જે બાદ તળીને તૈયાર કરેલાં તમામ શાકભાજીને તેમાં ઉમેરી દઈએ છીએ. જેને લગભગ 20 મિનિટ સુધી બરાબર મિશ્રણ કરીને તેને ઉકળવા દઈએ છીએ. જેના કારણે જે વધારાના પાણીનો ભાગ હોય તે પણ દૂર થઈ જાય છે. એ પછી જૈ મેથીના મુઠિયા તૈયાર કર્યા છે. તેને નાખીએ છીએ. અને છેલ્લા તેમાં ઉપરથી સમારેલાં ઘાણા નાખીએ છીએ. લો તૈયાર થઈ ગયું તમારું મનગમતું ચંદ્રવિલાસનું ઊંધિયું.

તેમજ માલવ જોષીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મૂળ રાજસ્થાનના ઉદયપુરના છે. આજથી 122 વર્ષ પહેલાં એટલે કે 1900ની સાલમાં મારા દાદા ચીમનલાલ જોષીને નસીબ અજમાવવાનો વિચાર આવતાં તેમણે અમદાવાદની વાટ પકડી હતી. એ બાદ તેમણે તેમના મિત્રો સાથે મળીને રિચી રોડ પર ચાની શરૂઆત કરી હતી. એ પછી ધીરે ધીરે અહીંની ચાનો ચસકો લોકોને લાગવા લાગ્યો. એ સમયે દાદાએ શરૂ કરેલી ચા તો ફેમસ થઈ ગઈ, પણ પછી તેમણે કંઈક અલગ કરવાનું વિચાર્યું. આ દરમિયાન તેમને ફાફડા-જલેબી શરૂ કરવાનો વિચાર આવ્યો ને તેમણે એ બનાવવાના શ્રી ગણેશ કર્યા. અહીંના ફાફડા-જલેબીનો ટેસ્ટ લોકોને ખૂબ જ પસંદ પડ્યો. ચાથી શરૂ થયેલી ચંદ્રવિલાસની સફરે ફાફડા-જલેબીનું કોમ્બિનેશન આપ્યું. એટલું જ નહીં ઊંધિયામાં પણ સિક્કો જમાવ્યો.

આમ આ સાથે વધુમાં માલવભાઈએ જણાવ્યું કે, ચંદ્રવિલાસની જેમ જેમ નામના થવા લાગી તેમ તેમ અહીં સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીસ પણ ફાફડા-જલેબીનો ટેસ્ટ માણવાં આવતાં હતા. આ સાથે જ તેઓ અહીંના ઊંધિયાનો પણ ટેસ્ટ માણતાં હતા. એ સમયે અમિતાભ બચ્ચેને ફાફડા-જલેબી સાથે અમારા ઊંધિયાનો પણ ટેસ્ટ કર્યો હતો. ટેસ્ટ કરતાની સાથે જ અમિતાભ બચ્ચને કહ્યું કે વાહ ક્યાં ઊંધિયા હૈ એવું કહ્યું હતું. માલવભાઈએ કહ્યું કે, ઘણાં લોકો ઊંધિયું ગ્રીન દેખાય એ માટે કલરનો ઉપયોગ કરતા હોય છે. પરતું અમે જે નેચરલ મસાલા અને અમારા સિક્રેટ મસાલા છે એનો જ ઉપયોગ કરીએ છીએ જેના કારણે અમારું ઊંધિયું એકદમ નેચરલ રીતે તૈયાર કરીએ છીએ જેના કારણે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. જ્યારે અમે ઊંધિયું બનાવવાની શરૂઆત કરી હતી એ સમયે લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે અમારું ઊંધિયું તીખું બનાવતા હતા. પણ હવે લોકો એટલું તીખું નથી ખાતા જેના કારણે તીખું મરચું પણ ઉપયોગમાં નથી લેતા.

ઊંધિયું એટલું ટેસ્ટી છે કે માલવ જોષીએ કહ્યું કે, અમારા ત્યાં અનેક ગ્રાહકો દૂર દૂરથી આવી રહ્યાં છે. જેના કારણે હવે અમારા ઊંધિયાના ચાહકો માત્ર અમદાવાદમાં કે ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હી,મુંબઈ જેવા શહેરોમાં પણ છે. જે લોકો પોતાના સ્વજનો પાસેથી અમારું ઊંધિયું મંગાવી રહ્યાં છે. આમ ચંદ્રવિલાસની જેમ જેમ નામના થવા લાગી તેમ તેમ અહીં સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીસ પણ અહીં ટેસ્ટ માણવા માટે આવતા હતા. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કિશોર કુમાર, અમિતાભ બચ્ચન અને અસરાનીથી લઈને અનેક સેલિબ્રિટી અહીં આવી ચૂક્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *