ગોંડલમાં યુવકે ઘરમાં જ પંખે લટકીને મૌતને વ્હાલું કરી લીધું ! હજી 5 વર્ષ પેહલા જ તે…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે પાંખે લટકીને ગળેફાંસો ખાઈ જીવનટૂંકાવી દીધું છે આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટર નં. 17 માંથી સામે આવી રહી છે જ્યાં રહેતા હિતેશ રવજીભાઈ કોચરા ઉ.વ.28 એ પોતાના ઘરે પંખામાં દોરી બાંધીને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. હિતેશે પાંચ વર્ષ પહેલાં પણ સ્યુસાઇડ કરવાની કોશિષ કરી હતી.
આ સાથે જણાવીએ તો હિતેશ પરિણીત હતો અને સંતાનમાં 4 વર્ષની પુત્રી છે. છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલવાતો હતો. સમગ્ર ઘટનાની જાણ શહેર પોલીસને થતા પોલીસ, 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચીને મૃતક યુવાનના મૃતદેહને ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો