રાજકોટમાં પરણીતાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું ! સ્યુસાઇડ નોટ માં લખ્યું કે, ” મારો પતિ બીજી…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પરણિત યુવતીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું. તેમજ સ્યુસાઇડ નોટ પણ લખી હતી. આવો તમને આ આપઘાતના કિસ્સા અંગે વિગતે જણાવીએ.

આપઘાતનો આ કિસ્સો 22/12 ના રોજ બન્યો હતો જેમાં હાલ મોટા ખુલાસાઓ સામે આવી રહયા છે. તમને જણાવીએ તો આ આપઘાતની ઘટના રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા વિસ્તારમાંથી સામે આવી રહી છે જ્યાં પરણીતાએ 22 તારીખના રોજ આપઘાત કરી લીધો હતો. તેમજ આ બનાવમાં સામે આવ્યું છે કે પરણીતાએ પતિ અને સાસુ સસરાના ત્રાસથી આપઘાત કર્યો છે. આમ આપઘાત કરનાર યુવતી કે જેનું નામ જયશ્રીબેન નયનભાઈ દાફડા (ઉ.વ.22) છે તેઓએ એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી.

સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે “મારા પતિને બીજી સાથે સબંધ છે એને મને રાખવી નથી”. આમ આ સ્યુસાઇડ નોટને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાતની આ ઘટના બાદ મનોજભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘મારી મોટી દિકરી જયશ્રીના નાથાભાઈ માવજીભાઈ દાફડા નો દિકરો નયન સાથે તા.27/05 ના જામનગર ખાતે અમારી જ્ઞાતીના સમુહ લગ્ન સમારંભમાં લગ્ન થયેલ હતા અને લગ્ન બાદ તેઓ સંયુક્ત કુટુંબમાં મેટોડા રહેતા હતા. દિકરી જયશ્રીનો આશરે સાત દિવસ પહેલા મારી પત્નીને ફોન આવેલ હતો અને વાત કરેલ હતી કે નયનને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ છે અને તેને મને રાખવી નથી તેમ વાત કરેલ હતી અને ગઇ તા.22/12 ના રાત્રીના જયશ્રીના સાસુ નાથીબેનનો મને ફોન આવ્યો અને વાત કરી કે તમારી દિકરી જયશ્રી એ ફાસો ખાઈ લીધેલ છે.’

આમ વધુમાં મ્રુતક જયશ્રીબેનના પિતાએ ફરિયાદ જણાવ્યું કે, ‘મારી દિકરી જયશ્રી તેના આ લગ્ન ગાળા દરમ્યાન થોડા દિવસ તેના સાસરીયામા રોકાઈ અને પાછી ત્રણ વખત રિસામણે આવતી રહી હતી. તેના પતી તથા સસરા નથુભાઈ તથા સાસુ નાથીબેન ઉર્ફે ગૌરીબેન પાછી આવતી રહે તેમ કહી ફોનમા ધમકી આપતા હતા અને જયશ્રી છેલ્લી વખત પાછી આવેલ ત્યારે તેના પતિએ જયશ્રી ને માર માર્યો હોય જેથી જામનગર જી.જી હોસ્પીટલમા તા. 23/09ના સારવાર લેવડાવી હતી અને બાદ જામનગર મહીલા પોલીસમા જયશ્રી એ તેના પતી વિરુદ્ધ સાસરીયામાં શારીરીક તથા માનસીક ત્રાસ ની ફરીયાદ પણ કરેલ હતી.’

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *