ધીરુભાઈ અંબાણી ની કરોડપત્તી બનવાની ભવિષ્યવાણી કરનાર એક ગુજરાતી હતો…જાણો તેમના વિષે

આજના સમય માં અંબાણી પરિવારને ભારતમાં કોણ નથી જાણતું જે ખુબજ અમીર છે અને એશિયામાં પ્રથમ સ્થાને તેમની ગણતરી થાઈ છે અંબાણી પરિવારની ભારતમાજ નહિ બલકે પુરા વિશ્વમાં તેની ચર્ચા થાય છે જેનું શ્રેય ધીરુભાઈ અંબાણી ને જાય છે જેણે શૂન્ય થી લઇ આજે અબજોની સંપત્તિ ભેગી કરી છે તે અનેક માટે પ્રરણારૂપ છે આજે અંબાણી પરિવાર ખુબજ પૈસા કમાઈ છે જોકે એક સમય એવો પણ હતો જ્યારે અંબાણી પરિવાર એક એક રૂપિયા માટે ખુબજ મહેનત કરતો હતો.

આજના સમય માં ભલે અંબાણી પરિવારનું સ્થાન ટોચના અમીરોની યાદી માં હોઈ પરંતુ એક સમય એવો હતો જ્યારે ધીરુભાઈ અંબાણી મુંબઈના રસ્તા પર ભેળપૂરી વેચતા હતા. અને તે સમયે કોઈ એમ નો કહે કે આ વ્યક્તિ પાસે ભવિષ્યમાં અબજોની સંપત્તિ હશે.  આમ તમને ખબર જ હશે જ્યારે સમયનું ચક્ર ફરે છે ત્યારે ઘણા લોકોના નસીબ ચમકી જતા હોઈ છે તેમજ આ અંબાની પરિવારના ધીરુભાઈ કે જેઓ ભેળપૂરી વેચતા હતા અને તે સમયે એક ગુજરાતી એક્ટરનાં પિતાએ ધીરીભાઈ અંગે એક ભવિષ્યવાણી કરી હતી. આવો તમને વિગતે જણાવીએ.

જ્યારે ધીરુભાઈ પાસે કાઈ પણ નો હતું અને ખુબજ ગરીબ હતા ત્યારે જેકી શ્રોફના પિતા કાકુલાલ શ્રોફે તેમના અંગે એક ભવિષ્યવાણી કરી હતી. તે સમયે કાકુલાલ શ્રોફ જ્યોતિષની કામ કરતા હતા તેથી તેમણે આ ભવિષ્યવાણી કરી હતી તેમાં તેણે કહ્યું કે આગળ જતા ધીરુભાઈ એક દિવસ કરોડપતિ બની જશે અને એમજ થયું. ૧૯૭૭માં ધીરુભાઈએ રિલાયન્સનો પાયો નાખ્યો અને પછી તેમણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

તે સમયે ધીરુભાઈ પોતાની પત્ની કોકીલાબેન સાથે કાકુલાલે ધીરુભાઈ ને જોઈ વાતો વાતોમાં તેઓએ ભવિષ્યવાણી કરી હતી. તે સાંભળી ધીરુભાઈ  પેટ પકડીને ખુબજ હસવા લગ્યા હતા. આ વાતનો ખુલાસો જેકી શ્રોફે તેમના એક ઈન્ટરવ્યું દરમિયાન આપ્યો હતો. તેમજ ધીરુભાઈ નું નિધન ૬ જુલાઈ, ૨૦૦૨માં થયું હતુ. આજે તેમનો પુત્ર મુકેશ અંબાણી વિશ્વના અમીર લોકો માં સામેલ છે આમ આ સાથે  જેકી શ્રોફે તેમનાં એક ઇન્ટરવ્યુંમાં કીધું હતું કે તેમના સબંધો અંબાણી ફેમેલી સાથે ખાસ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *