‘કિંગ ઓફ સાળંગપુર’ : દાદાની 54 ફૂટ ઉંચી પ્રતિમા જોઈ હાથ જોડી લેશો ! જુઓ તસવીરો

મિત્રો જ્યારે પણ આપણા પર મુશ્કેલી આવી પડતી હોઈ છે ત્યારે અપને મંદિરે જઈને ભગવાનને આપણી મુશ્કેલીઓને દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોઈએ છીએ. તેમજ ભગવાનની પુરી નિષ્ઠા અને શ્રદ્ધાંથી પૂજા કરતા હોઈએ છીએ. તેવીજ રીતે તેમના મોટા મોટા મંદિરો અને મૂર્તિઓની પણ સ્થાપના કરતા હોઈએ છીએ. તેવીજ રીતે હાલ હનુમાન દાદા ની ખુબજ મોટી મૂર્તિનું નિર્માણ શરૂ થઇ ગયેલ છે જેના તમે 7 કિમિ દૂર થી પણ દર્શન કરી શકશો આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે હવે આગામી દિવસોમાં’કિંગ ઓફ સાળંગપુર’ના નામથી પણ ઓળખાશે. આવતી દિવાળી સુધીમાં તમે સાળંગપુરના દાદાના દર્શન સાળંગપુરથી 7 કિમી દુર હશો તો પણ તેના દર્શન કરી શકશો. આ મૂર્તિની સ્થાપના થયા બાદ સાળંગપુરની આખી કાયા પલટ થઇ જશે. તેમજ જો આ મૂર્તિ વિષે વાત કરવામાં આવે તો આ મૂર્તિ પંચધાતુની બનશે અને હરિયાણાના ગુરૂગ્રામમાં આ મૂર્તા આકાર પામી રહી છે. આ મૂર્તિનો વજન 30 હજાર કિલોહશે.

આ મંદિર કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આકાર લેશે. દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળનાજ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું. હનુમાન દાદાની આ મૂર્તિ 13 ફૂટના બેઝ પર દક્ષિણના મુખે મુકવામાં આવશે. તેમજ આ પ્રોજેક્ટ કુલ 1,35,000 સ્કવેર ફૂટમાં આકાર લેશે. તેમજ તમને જણાવીએ તો આ પ્રોજેક્ટમાં હિન્દૂ ધર્મની કળા, સંસ્કૃતિ, અને ગૌરવની અનુભૂતિ થશે. હનુમાન દાદાની આ મૂર્તિ બન્યા બાદ સાળંગપુરની શાનમાં વધારો કરશે.

તથા એમ્ફી થીએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઈટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટે શોની મજા માણી શકશે. આમ સાળંગપુરના વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ભક્તોને થોડા જ દિવસોમાં નવું નજરાણું જોવા મળશે.તમનેજણાવી દયે કે મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે આ મૂર્તિ બનાવી છે.આખો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આચાર્ય રાકેશપ્રસાદજી અને વડતાલ બોર્ડના સાથ સહકારથી સંતો દ્વારા દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *