નર્મદા: હોમગાર્ડ યુવાનની એવી તો શું મજબૂરી કે ફાંસીના માચડે ચડી ગયો ! દીકરાનો શબ જોઈ પરિવાર હિબકે ચડ્યો, કારણ?…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક હોમગાર્ડ જવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.

જો વાત કરીએ તો આ આપઘાતની ઘટના નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની માંથી સામે આવી રહી છે જ્યાં હોમગાર્ડમાં ફરજ બજાવતા પરેશભાઈ પંચોલીએ પોતાના ઘરે પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ખુબજ અરેરાટી થવા પામી હતી. જો જણાવીએ તો પરેશભાઈ હોમગાર્ડમાં નોકરી કરતા અને પાર્ટ ટાઈમ ઇલેક્ટ્રિસિયાનનું કામ પણ કરતા યુવાન જેનું આખું નામ પરેશ ધનુભાઈ પંચોલી કોઈ કારણસર કેવડિયા બજારમાં આવેલા પોતાના ઘરના પહેલો માળ છે ત્યાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધું છે.

આમ આ આપઘાતની ઘટના બાદ તેની જાણ ઘરના અને અડોસપડોસના લોકોને ખબર પડતાં લોકોની ભીડ ઉમટી આવી હતી. જે બાદ તરતજ આ ઘટનાની જાણ થતા જ તરત જ કેવડીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આમ જણાવીએ તો આ ઉપરાંત હોમગાર્ડના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે પોલીસે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરનાર પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરેશભાઈ પંચોલીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણવા મળેલ નથી, પરંતુ હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. અને અકસ્માતનું કરણ શોધવા તપાસ હાથ ધરી છે. શું કારણ હશે કી યુવાનને આપઘાતનું પગલું ભરવું પડ્યું હશે ?

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *