વડોદરાના પાવાગઢ દર્શન માટે નીકળેલા એક બાઈક સવાર 3 મિત્રો ડમ્પરના અડફેટે આવતા ત્રણેયના કમકમાટીભર્યાં મોત…
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
આ ઘટના વડોદરાના હાલોલ રોડ પર બની છે. જ્યાં એક બાઈક સાવર 3 મિત્રો પાવાગઢ દર્શન માટે જઈ રહયા હતા ત્યારે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 મિત્રનાં ઘટના સ્થળેજ કમકમાટીભર્યાં મોત થયાં. ઘટનાની જાણ પોલીસને થતાજ તે તરતજ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વાત કરીએ તો વડોદરાથી 5 મિત્ર આજે સવારે બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા. આ સમયે વડોદરા-હાલોલ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાઈક પર સવાર ત્રણેય મિત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતક યુવકોમાં એક દેવાગઢ બારિયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો. તેમજ મૃતક રોનક પરમાર વડોદરામાં માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યારે અન્ય બે યુવક હોસ્ટેલમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાં મૃતક યુવાનોનાં પરિવારજનો અને સગાંસંબંધીઓ સહિતનાં ટોળાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા
હોસ્પિટલે પરિવાર અને સગાસબંધીઓના ટોળે ટોળાં વળી ગયા હતાં. ત્રણ મૃતકમાંથી વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ (ઉં.20), (રહે.ગાંગરડી, તા.ગરબાડા જિ.દાહોદ) અને રોનક ધનાભાઈ પરમાર (ઉં.20), ( રહે. લીંબડિયા, તા. લુણાવાડા, જિ. મહીસાગર) વડોદરાની સિગ્મા કોલેજમાં અભ્યાસ કરતા હતા, જ્યારે જયેન્દ્ર સંજયભાઈ પટેલ (ઉં.20), (રહે. દેગાવાડા, તા. દે.બારિયા, જિ. દાહોદ) વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. આમ મૂળ લુણાવાડાના લીંબડિયા ગામના રહેવાસી રોનક ધનભાઈ પરમારનો જન્મદિવસ હતો અને એ જ દિવસે જ રોનકનું મોત થયું હતું, જેથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.