સુરેન્દ્રનગર : વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું ! સુસાઇડ નોટમાં લખ્યું કે ‘મારી મજબૂરી….

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક વ્યાજે પૈસા ઉધાર લઈને પાછા દેવા માટે કઈ પણ ના વધતા આને વ્યાજખોરો ના ત્રાસ ના કીધે યુવાને આપઘત કરી લીધો. નર્મદા કેનાલમાંથી યુવાનની લાશ મળતા 3 આરોપી સામે ગુનો દાખલ થયો. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ આપઘાતની ઘટના સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલ ની છે જ્યાં યુવાનની લાશ પડી હોવાના સમાચાર મળતા સિટી એ ડિવિઝનના પોલીસ સલીમભાઇ ગોરી ઘટનાસ્થળે જઇને લાશને બહાર કાઢી પીએમ માટે રાજકોટ લઇ ગયા હતા. બાદમાં તપાસ કરતા મરનાર યુવાન દૂધની ડેરી પાસે રહેતા અશોકભાઇ કુકાભાઇ કોરડીયા હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનના ખિસ્સામાંથી અને તેના ઘરના રસોડામાં રાખેલા પાકીટમાં એમ 2 અલગ અલગ ચિઠ્ઠી લખીને પોતાની આપવીતી જણાવી હતી.

આમ જેમાં રતનપર દેવર્શી સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ ઉર્ફે વિકો દિલીપભાઇ જલપરા, સુભાષ રોડ, જોરાવરનગર ખાતે રહેતા અનિલ રામજીભાઇ મૂળિયા અને દેદાદરાના ભવાનભાઇ ડાયાભાઇ જાદવ સામે યુવાનને વ્યાજ માટે મરવા મજબૂર કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમ વધુમાં તેણે લખ્યું હતું કે મારા મોતનુ કારણ અનિલ, વિક્રમ અને ભવાનભાઇ છે. તેમની પાસેથી લીધેલા પૈસાનું હું ઘણા સમયથી વ્યાજ ભરું છું.

છતાં વ્યાજ માટે મને ત્રાસ આપે છે. અનિલ પાસેથી લીધેલા રૂ.1 લાખનું 10 ગણું વ્યાજ ભરેલ છે. દૂધની ડેરી પાસે વેચેલા મકાનના રૂ.4.50 લાખ લેવાના બાકી છે તે રૂ.10 હજારનો મહિને હપ્તો આપશે.પહેલો હપ્તો તા.25-11-22 ના રોજ લેવાનો છે. તે હપ્તા મારા ઘરના સભ્યોને આપે.હું મારા ઘર માટે ખાવાના પૈસા રાખતો ન હતો. તોય આ લોકો મૂડી માટે મારો કોરા ચેક 10 ગણી રકમ ભરીને બેંકમાં નાખવાની ધમકી આપતા હતા. મને મરવાનો કોઇ શોખ હતો નહી. આ લોકો સામે કાર્યવાહી થાય તેવું કરજો. અથવા મારા 10 લાખથી વધુ ભરેલા રૂપિયા પાછા આપે આ સિવાય કોઇનો વાંક નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *