રાજકોટના આ યુવાને સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાત ! સ્યુસાઇડ નોટમાં પણ…એક ફોન આવ્યો પછી

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે આપઘાત કરી લીધો છે અને સ્યુસાઇડ નોટ પણ લખી હતી. આવો તમને આ આપઘાતનો કિસ્સો વિગતે જણાવીએ.

તમને જણાવીઓ આ આપઘાતની ઘટના રાજકોટના કોટડા સાંગાણીમાંથી સામે આવી રહ્યો છે જ્યાં રહેતા ગોંડલ રોડ પર રહેતા સંજય ધીરુભાઈ વઘાસીયા (ઉ.વ.૪૫) નામના પરિણીત યુવાને પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં તેમણે તાત્કાલિક ધોરણે યુવાનને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આમ યુવાનના પગલાંથી બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે

આમ જો કે તેણે આવું પગલું શા કારણે ભરી લીધું એ કારણ હજુ અકબંધ જ છે. પોલીસે તેમના પરિવારજનોની પૂછપરછ આરંભી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે આ ઘટનાના પગલે તપાસનીશ અધિકારી વી.પી.કનારાએ જણાવ્યું હતું કે મૃતકે સ્યુસાઇડ નોટ લખી છે અને તેમાં કોઇ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમ છતાં અમુક એવી વિગતો સાંપડી રહી છે કે થોડા સમય પહેલાં તેમના ઘરે ફર્નિચર વેચવાનું હોઇ.

ત્યારે તેજ સમયે અમુક મહિલા સભ્યો જોવા આવ્યા હતા અને બાદમાં કોઇ અજાણ્યા શખ્સે એવો આરોપ મૂકયો કે તેણે છેડતી કરી છે.તો પણ જો કે પરિવારજનો આ બાબતે કશું કહેવા હજુ તૈયાર નથી અને એ ફોન કોનો હતો એ પણ સામે આવ્યું નથી અને એ હકિકતને પુષ્ટિ પણ મળતી નથી, તેમ છતાં હજુ વિધિવત કોઇ સામે ફરિયાદ નોંધાવાઇ પણ નથી. તપાસ હજુ ચાલુ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *