આજે ખજુરભાઈ નો જન્મ દિવસ ! ખજુરભાઈ ના જીવન ની એવી અજાણી વાતો કે જે તમે નહી જાણતા હોય
આજ ના સમય મા જો ગુજરાત મા કોઈ લોકપ્રિય ચેહરો હોય તે ખજુરભાઈ છે અને આજે તેમનો જન્મ દિવસ છે ત્યારે લોકો તેને સોસીયલ મિડીઆ પર શુભેચ્છાઓ આપી ને શુભેચ્છાઓ નો ધોધ વહાવ્યો છે ત્યારે આજે અમે તમને ખજુરભાઈ વિશે એવી વાતો જણાવશુ કે તમે ભાગ્યે જ આ વાત જાણતા હશો.
તમે નીતિન જાની ના અંગત જીવન વિશે અજાણ આપણે અહી અમુક એવી બાબત વિશે માહિતી મેળવવાની છે કે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. જણાવી દઈએ કે ખજુર ભાઈ ગુજરાત ના સુરત ના છે. જો વાત ખજુર ભાઈના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે પ્રાથમિક ભણતર બારડોલી માંથી મેળવ્યું છે જયારે તેમણે કોલેજ નો અભ્યાસ પુના થી કર્યો છે.
જો વાત ખજુર ભાઈ ની ડીગ્રીઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે MCA, MBA, LLB, જેવી ડીગ્રીઓ મેળવી છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ખજુર ભાઈ એક્ટિંગ જગત માં આવ્યા પહેલા નોકરી કરતા હતા તેમણે એક આઈટી કંપની માં એક વર્ષ માટે નોકરી કરી હતી આ સમયે તેમનો પગાર ૭૦ હજાર રૂપિયા હતો. જો કે પછી તેમણે કોઈ કારણોસર આ નોકરી છોડી દીધી હતી.
ણાવી દઈએ કે ખજુર ભાઈ ફરવાના ઘણા શોખીન છે. તેમણે શરૂઆત માં એકતર બનવા વિશે વિચાર્યું ના હતું પરંતુ ધીરે ધીરે તેમને એક્ટિંગ માં રસ પડ્યો અને તેમણે બોલીવુડ માં મહેનત કરી તેઓ અનેક લોક પ્રિય શો જેવા કે “ ઝલક દીખ લા જા “ ઉપરાંત “ ઈન્ડયાઝ ગોટ ટેલેન્ટ “ જેવા ઘણા શોમાં જોવા મળ્યા હતા હાલમાં તેઓ પોતાની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે જેમાં તેમને અનેક લોકો ફોલો કરે છે. આ બાબાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે નીતિન જાણીએ ફિલ્મમાં પણ કામ કર્યું છે તેમણે એક ફિલ્મ કે જેનું નામ “ એવું જ રહેશે “ ફિલ્મ ની સ્ક્રીપ્ટ લખી અને ડાયરેક્ટ તથા એક્ટિંગ પણ કરી હતી આજ સમયે તેમણે ફિલ્મ પ્રમોશન માટે ખજુર અને જીગલી ના કાલ્પનિક કિરદાર ને બનાવ્યાં હતા કે ઘણા પસંદ કરવામાં આવ્યા હતા અને આજે પણ લોકો આ કિરદાર ને ઘણા પસંદ કરે છે લોકો આજે પણ નીતિન ભાઈને ખજુર ભાઈ કહીને જ બોલાવે છે.