વડોદરાના રણછોડરાયજી મંદિરની 172 વર્ષથી ચાલી આવે છે આ ખાસ પરંપરા અહીંના પૂજારીએ 25 વર્ષથી પગરખાં નથી…11 તોપોની..

લોકો તેમના જીવનમાં ઘણી બાબતો ભૂલી જતા હોઈ છે તેમજ ઘણી બાબતો યાદ હોવા છતાં તેને નીભવતા જોતા નથી જે પરંપરાગત કે વારસગત મળી હોઈ છે તેવીજ રીતે તમને જણાવીએ તો વડોદરા શહેરના એમ.જી. રોડ પર 172 વર્ષ જુનું શ્રી રણછોડરાયજી મંદિર આવેલું છે. 172 વર્ષ પહેલા દેવઉઠી અગીયારસના દિવસે વરઘોડાની શરૂઆત થઇ હતી. ત્યારથી ભગવાનને 11 તોપની સલામી આપવાની પરંપરા ચાલતી આવી હતી. ભગવાનને તોપની સલામી આપ્યા બાદ પાલખી પ્રસ્થાન કરતી હતી.

વાત કરીએ તો આ તોપોની સલામી છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી તોપની સલામી વગર નીકળી રહેલા ઠાકોરજીના વરઘોડામાં તોપની સલામી આપવાની પરંપરા માટે પૂજારી દ્વારા સંઘર્ષ શરૂ કરવામાં આવ્યો છે. તંત્ર સામે લડતા પૂજારીએ જ્યાં સુધી 11 તોપની સલામીની મંજૂરી ન મળે ત્યાં સુધી પગરખાં વગર રહેવાનું પ્રણ કર્યું છે અને 25 વર્ષથી પગરખાં પહેર્યાં નથી. કારણકે 11 તોપની સલામી આપ્યા બાદ વરઘોડો આગળ જવા પ્રસ્થાન કરતો હતો. દરમિયાન 25 વર્ષ પૂર્વે તોપ ફોડવાથી વરઘોડામાં જાનહાની થઇ શકે છે. તેવું કારણ ધરીને તોપની સલામી બંધ કરાવવામાં આવી હતી. ત્યારથી તોપની સલામી વગર વરઘોડો નીકળે છે. તોપની સલામી આપવાનું બંધ કરવામાં આવતા મંદિરના પૂજારીએ પગરખાં ન પહેરવાની માનતા રાખી હતી. જે માનતા આજે પણ ચાલુ છે. પૂજારી કહે છે કે, જ્યાં સુધી મારામાં શ્વાસ ચાલશે ત્યાં સુધી મારો કાનૂની જંગ જારી રહેશે

આમ તોપની સલામી બંધ કરાવવામાં આવતા મંદિરના પૂજારી જનાર્દન દવએ જ્યાં સુધી ભગવાનના વરઘોડામાં તોપની સલામી આપવાની પરંપરા પુનઃ શરૂ નહિ થાય ત્યાં સુધી પગરખાં ન પહેરવાની માનતા રાખી હતી. જે માનતા આજે પણ ચાલુ છે. તેઓ ભગવાનના વરઘોડામાં તોપની સલામી અપાય તે માટે કાનૂની જંગ ખેલી રહ્યા છે. હાલ આ અંગેનો કેસ વડોદરાની સિવીલ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેનો કેસ નંબર-1770 / 1996 છે. આ કેસ અંગેની આગામી મુદત તા.17-11-022 પડી છે. આ તોપનું નિરીક્ષકો દ્વારા તોપનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ, આ તોપથી કોઇને નુકશાન પહોંચે તેવું કોઇ ઠોસ કારણ આપવામાં આવ્યું નથી. નોંધનીય બાબત એ છે કે, પૂજારી જનાર્દન દવે ધોમધોખતી ગરમી હોય, કડકડતી ઠંડી હોય કે, પછી ભરપૂર ચોમાસું હોય તેઓ પગરખાં પહેર્યા વગર જ ફરે છે.

આમ આ સાથે આ બાબત પર પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે, દેવ ઉઠી અગીયારસના દિવસે ભગવાન શ્રી રણછોડરાયજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે. વર્ષો પૂર્વે વરઘોડો નીજ મંદિરથી નીકળે ત્યારે 11 તોપની સલામી આપવામાં આવતી હતી. પરંતુ, 25 વર્ષ પહેલાં તંત્ર દ્વારા હાસ્યાસ્પદ કારણો રજૂ કરીને તોપની સલામી આપવાનું બંધ કરાવી દીધું હતું. હું 25 વર્ષથી તંત્ર સામે લડત આપી રહ્યો છું. પરંતુ, તંત્ર દ્વારા હજુ કોઇ મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ, જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે ત્યાં સુધી લડતો રહીશ. મને વિશ્વાસ છે કે, મારા જીવતે જીવ ચોક્કસ ઠાકોરજીની તરફેણમાં ચુકાદો આવશે. હું દરેક મુદ્દતમાં અચૂક હાજર રહું છું.

આમ વધુમાં પૂજારીએ જણાવ્યું હતું કે, 172 વર્ષ જુના શ્રી રણછોડરાયજી મંદિર સાથે લાખો શ્રધ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. કારતક સુદ-1 થી પૂનમ સુધી વિશેષરીતે પતાસાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. પતાસાનો પ્રસાદ લેવા માટે લોકોની ભીડ રહે છે. શ્રધ્ધાળુઓને એવી આસ્થા છે કે, પતાશા સુકનવંતા હોય છે. આથી નવા વર્ષના પ્રથમ દિવસે પતાસાનો પ્રસાદ લેવા માટે અચૂક મંદિરમાં આવે છે. ઉપરાંત દેવઉઠી અગીયારસથી લગ્ન સરાની મોસમ શરૂ થતી હોઇ, લોકો કંકોત્રી મુકવા આવે ત્યારે પણ પતાસાનો પ્રસાદ લઇને આવે છે. અને ચઢાવેલો પ્રસાદ લઇ પણ જાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *