અયોધ્યાનો રહેવાસી વેદ શેરડીના વેસ્ટ માંથી બનાવે છે આ ખાસ પેદાશ અને કરે છે કરોડોની કમાણી ! ખેડૂતો પણ મેળવી શકશે રોજગારી…જાણો વિગતે
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજ આજે તમને એક તેવાજ સફળ વ્યક્તિ વિષે જણાવીશું. જેણે વેસ્ટ માંથી બેસ્ટ બનાવી દેશના ખેડૂતોને રોજગારી પૂરું પાડવાનું એક નવો વિચાર આપ્યો છે. અને જેના દ્વારા ઘણા ખેડૂતો આજે આજે રોજગારી મેળવી રહ્યા છે. આમ આ સાથે જ તમને જણાવીએ તો ભારતમાં, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં શેરડીની ખેતી મોટા પાયે થાય છે.
આમ વાત કરીએ તો આ શેરડીમાંથી લોકો ખેતરોમાં ગોળ બનાવે છે, પણ તેના પાછળથી વધતા અવશેષ વેડફાય છે. ઘણા લોકો તેને ખેતરમાં જ બાળી નાખે છે, જેનાથી પ્રદૂષણ પણ ઘણું થાય છે. જે પર્યાવરણ માટે ખુબજ નુકશાનકારક છે. તો વળી વાત કરીએ તો અયોધ્યાના રહેવાસી વેદ કૃષ્ણે શેરડીના કચરામાંથી મોટા પાયે બાયોડિગ્રેડેબલ કપ, પ્લેટ, બાઉલ અને પેકેજિંગ સામગ્રી બનાવવાનું શરૂ કર્યું છે. વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું એક કાર્ય છે. જેના લીધે પર્યાવરણને થતું નુકશાન પણ અટકી જતું હોઈ છે.
તમને જણાવીએ તો વેદ તેમના સાહસ ‘યશ પક્કા’ હેઠળ દર વર્ષે બે લાખ ટનથી વધુ શેરડીના કચરા પર પ્રક્રિયા કરી તેમને ઇકો ફ્રેન્ડલી બનાવે છે. આજે તેમનો વ્યાપ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબથી લઈને ઈજિપ્ત અને મેક્સિકો જેવા દેશોમાં પણ ફેલાયેલો છે. તેમનું વાર્ષિક ટર્નઓવર લગભગ 300 કરોડની આસપાસ છે. વેદના પિતા કેકે ઝુનઝુનવાલા બિઝનેસમેન હતા. તે પહેલા સુગર મિલ ચલાવતા હતા, પરંતુ પરિવારના વિભાજન બાદ તેમના ભાગમાંથી સુગર મિલ જતી રહી. આ પછી તેમણે 1981માં ‘યશ પક્કા’ શરૂ કરી.
આમ વેદ કહે છે કે, “મારા પિતા સમય કરતા ઘણા આગળ હતા અને તેમણે 1985 ની આસપાસ શેરડીના કચરામાંથી કાર્ડબોર્ડ અને કાગળ બનાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, 1996 સુધીમાં, તેમના વ્યવસાયને આત્મનિર્ભર બનાવવા માટે, તેમણે 8.5 મેગાવોટનો પાવર પ્લાન્ટ પણ સ્થાપિત કર્યો હતો, જેમાં કોલસાને બદલે બાયોમાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.પરંતુ આ દરમિયાન વેદના પિતાની હાર્ટ સર્જરી થઈ અને ધીમે-ધીમે તેમનો બિઝનેસ નબળો પડતો ગયો. આ જોઈને લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાંથી એડવેન્ચર સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલા વેદે લંડનનું સુખી જીવન છોડીને પિતા પાસે પાછા ફરવાનું નક્કી કર્યું.”
આ સાથે વધુમાં 46 વર્ષીય વેદ કહે છે, “હું મારા પિતાના વિચારોથી ખૂબ પ્રભાવિત હતો અને 1999માં લંડનમાં મારો અભ્યાસ પૂરો કર્યા પછી, હું મારા પિતાના કામને સંભાળવા ભારત પરત આવ્યો. મેં તેમની સાથે 3 વર્ષ રહી કામ કરવાનું શીખ્યું જ હતું કે તેમણે આ દુનિયાને હંમેશ માટે છોડી દીધી.” ત્યાર બાદ કંપનીની સમગ્ર જવાબદારી વેદના ખભા પર આવી ગઈ. તે સમયે કંપનીનું ટર્નઓવર લગભગ 25 કરોડનું હતું, પરંતુ વેદના ઈરાદા આના કરતા ઘણા મોટા હતા. તેણે નક્કી કર્યું કે આ બિઝનેસને આગળ લઈ જવા માટે તે 85 કરોડનું રોકાણ કરશે. પરંતુ જ્યારે વેદ આ પ્રસ્તાવ લઈને બેંકોમાં ગયા તો કોઈએ તેમને ગંભીરતાથી લીધા નહીં. બધાએ તેમની ઉચ્ચ વિચારસરણીની મજાક ઉડાવી. પરંતુ તેમણે હિંમત ન હારી અને ધીમે ધીમે પોતાના કામના આધારે અધિકારીઓનો વિશ્વાસ જીતવા લાગ્યા. તેમની જીદ અને દ્રઢતાનું જ પરિણામ હતું કે થોડા જ વર્ષોમાં તેમનો બિઝનેસ 117 કરોડનો થઈ ગયો.
2010 થી, દેશમાં પ્લાસ્ટિકના જોખમો વિશે ઘણી જાગૃતિ આવી છે. આ દરમિયાન, વેદને પણ સમજાયું કે તે શેરડીના બગાસમાંથી કાગળ બનાવી રહ્યા છે, તો શા માટે તેનો કાર્યક્ષેત્ર વધુ વિસ્તૃત ન કરવો.આ પછી, તેમણે ખાદ્ય સેવામાં શેરડીના કચરાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. વેદે પ્રક્રિયા શીખવા માટે ચીન અને તાઈવાન જેવા દેશોની મુલાકાત પણ લીધી અને ત્યાંથી આઠ મશીનો મેળવ્યા. પછી, તેમની ટીમમાં વધારો કરીને, તેમણે શેરડીના કચરામાંથી ફાઇબર કાઢવાનું અને પર્યાવરણને અનુકૂળ સામાન બનાવવાનું શરુ કર્યું.
આમ વેદ હાલમાં દરરોજ 300 ટનથી વધુ શેરડીના કચરા પર પ્રક્રિયા કરે છે. તેમની પાસે અયોધ્યામાં એક યુનિટ છે અને તે જયપુર, જલંધર, કેરળ તેમજ ઇજિપ્ત અને મેક્સિકોના ઉદ્યોગપતિઓ સાથે ફ્રેન્ચાઇઝી મોડેલ પર કામ કરી રહ્યા છે. આજે તેમણે આ કંપનીમાં 1500 લોકોને રોજગારી પણ આપી છે. તેમના ગ્રાહકોમાં હલ્દીરામ, મેકડોનાલ્ડ્સ, ચાઈ પોઈન્ટ જેવી ઘણી ફૂડ કંપનીઓના નામ સામેલ છે. આ સિવાય તેમની પ્રોડક્ટ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે.વેદ હાલમાં સુગર મિલોમાંથી શેરડીનો કચરો એકત્રિત કરે છેતે કહે છે કે, “હાલમાં ખેડૂતોને મારા વ્યવસાયથી સીધો ફાયદો નથી થઈ રહ્યો. પરંતુ અમે આગામી 5 વર્ષમાં અમારા બિઝનેસને 10 ગણો વધારવાનો ઇરાદો ધરાવીએ છીએ. તેનાથી ખેડૂતોની આવકમાં ચોક્કસપણે મોટો ફરક પડશે.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.