દીવાળી મા વરસાદ આવશે ?? અંબાલાલ પટેલ આગાહી કરતા કીધુ કે ” દક્ષિણ ચિન થી વાવાઝોડુ ઉત્પન્ન થતા રાજ્યના…
હાલ હવે ચોમાસાની ઋતુના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને આને ઘણા રાજ્યોમાં તો વરસાદની સીઝન પણ પુરી થઈ ગઈ છે. આમ હવે ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસાએ કચ્છથી ડીસા સુધી વિદાય લઈ લીધી છે, સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને સમય લાગશે નહિ. અને તેવામાજ અંબાલાલ પટેલે હાલ ખુબજ મહત્વની આગાહી કરી છે જે જાણી તમે પણ રહી જશો દંગ. આવો તમને વિગતે જણાવીએ.
હવામાન અંગે આગાહી કરતા અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે. હવામાનમાં આવેલા કેટલાક ફેરફારોના લીધે આ વર્ષના અંત સુધી વરસાદ થતો રહેશે તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે દિવાળી દરમિયાન પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગરમાં વારંવાર હવાના દબાણ ઉભા થતા હોવાથી વરસાદ થશે તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વર્ષે 100 ટકા કરતા પણ વધુ વરસાદ થયો છે. સારો વરસાદ થવાની નર્મદા સહિતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ડેમોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. હવે કમોસમી વરસાદના કારણે ખેતીને નુકસાન થવાની ભીતી પણ રહેલી છે
આમ આગળ અંબાલાલ પટેલ જણાવે છે કે, આ વર્ષે ચોમાસાની વિદાય પછી પણ વરસાદ વરસવાનું ચાલું છે. પોસ્ટ મોનસૂન આગામી સમયમાં પણ યથાવત રહેશે તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ચીન તરફથી વાવાઝોડા ઉત્પન્ન થતા રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતમાં 5 ઓક્ટોબરે ભારે પવન ફૂંકાશે, જ્યારે 6થી 13 ઓક્ટોબર વચ્ચે ફરી વરસાદી ઝાપટાં થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે ગુજરાત સહિત પૂર્વ ભારતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આમ આ સાથે વરસાદી ઝાપટાં 16, 17 અને 18 તારીખ દરમિયાન પણ થશે અને દિવાળીમાં પણ વરસાદ થવાની સંભાવના અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.તેમણે આગામી વર્ષ માટે પણ સંભાવના વ્યક્ત કરીને જણાવ્યું છે કે, આ અગાઉ નવરાત્રી દરમિયાન વરસાદ થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ પહેલા-બીજા નોકરતા દરમિયાન દક્ષિણ ગુજરાત સિવાય ક્યાંય વરસાદ થયો નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.