ચોટીલા તો અનેક વખત ગયા હશો પણ ત્યા સીક્કા શા માટે ચોંટાડવામાં આવે છે એ જાણો છો?
આપણે ત્યાં આસ્થામાં જ્યારે વિશ્વાસ જોડાય છે,ત્યારે એ બન્નેનું સંગમ શ્રદ્ધાળુઓમાં તે સ્થાન પ્ર્ત્ય અતિ મહત્વ ધરાવે છે. આપણે અનેક આત્મવિશ્વાસ અને શ્રદ્ધા રાખીને ઈશ્વરને પૂજીએ છીએ. જેટલો સ્વંય પર વિશ્વાસ નથી એના થી વધુ હોય છે. આપણે જાણીએ છે કે, જ્યા પણ પવિત્ર સ્થાનો હોય ત્યાં તેની સાથે અનેક મહિમા હોય છે. ત્યારે આજે અમે આપને ચોટીલાના સાનિધ્યમાં એક ખુબ જ અતિ ચમત્કારી અને આસ્થાપૂર્ણ કાર્ય કરવામાં આવે છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે,જ્યારે આપણે ચોંટીલા જઈએ છીએ ત્યાં જોયું હશે કે, લોકો દ્વારા સિક્કાઓ ચોંટાડવામાં આવે છે. ત્યા સીક્કા શા માટે ચોંટાડવામાં આવે છે તેના વિષે અમે માહિતગાર કરીશું.
ચામુંડામાંનું ચોટીલા ધામ ખુબ જ આગવું મહત્વ ધરાવે છે. ચોટીલાના ડુંગરે બિરાજમાન આ મંદિરના સાનિધ્યમાં દર્શાનાર્થે આવતા શ્રદ્ધાળુઓ દ્વારા અહીંયા મંદિરના ભાગમાં સિક્કા ચોંટાડવામાં આવે છે.પરંતુ તમે જાણો છો કે આવું શા માટે કરવામાં આવે છે? આજે અમે આપને આ રહસ્ય વિષે જણાવશું, ખરેખર અનેક મંદિરોમાં આવી માન્યતા હોય છે અને ક્યાંક પાણીમાં તો ક્યાંક દોરા બાંધવાની બીજી કોઈ વસ્તુઓ સાથે આવૈ પરંપરા જોડાયેલ હોય છે,ત્યારે ચોટીલા જે સિક્કા ચોટડાવવાઆ આવે છે,તેની પાછળ એક રોચક કારણ છે,
દરેક મંદિર સાથે તેના રહસ્યો રહેલા હોય છે, ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાના દર્શન માટે ભક્તો દુર દુરથી આવતા હોય છે,આટલું જ નહિ પરંતુ હજારો ભકતોની મનોકામના ચામુંડા માતા પૂર્ણ કરે છે.આ મંદિરમાં જે ભક્તો ચામુંડા માતાના મંદિરમાં આવે છે તે બધા ભક્તોને ચામુંડામાતા પરચા પણ બતાવે છે.ખરેખર અનેક શ્રધાળુઓની ઈચ્છાઓને માતાજી પરીપૂર્ણ કરે છે, અહીંયા સાનિધ્યમાં માતાજી પાસે જે માનતા માની હોય એ મનોકામનાઓ માતાજી અવશ્ય પૂર્ણ કરે છે.
માતાજીની પાસે કરેલ માનતાઓ જ્યારે પૂર્ણ થાય ત્યારે ભક્તો દ્વારા મંદિરમાં આવીને સિક્કાઓ ચોંટાડતા હોય છે.કેટલાક લોકો એવું જણાવી રહ્યા છે કે સાચી ભક્તિથી આ સિક્કો ચોટાડો તો ચોંટી જાય છે,આટલું જ નહિ પરંતુ ભકતની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે.જયારે આ બાબત ઘણા ઓછા લોકો જાણતા હોય છે.આટલું જ નહીં આ સિવાય માતાજીના સાનિધ્યમાં જોકંકુ અર્પણ કરવામાં આવે તો જીવનમાં આવતા બધા જ દુઃખો હંમેશા માટે દૂર થાય છે.એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં દર વર્ષની આસો માસની નવરાત્રીમાં આઠમા નોરતે ડુંગર ઉપર નવચંડી હવન પણ કરવામાં આવે છે.ખરેખર ચોટીલાનું સાનિધ્ય અતિ પાવનકારી છે. એવું કહેવાય છે કે,અહીંયા કોઈ મંદિરના પ્રાગણમાં રાત્રી રોકાણ નથી કરી શકતું.