રામાયણના ‘લંકેશ’ હકીકતમાં હતા રામ ભક્ત: જુવો કેવુ હતુ સ્વ. અરવિંદ ત્રીવેદીનુ ઘર

હાલમાં જ આપણે ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના અભિનેતા ને ગુમાવ્યા છે. તેમની ખોટ સદાય આપણે સૌને સાલશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે, પરતું ઈશ્વર ઈચ્છા બળવાન છે. આપણે સૌકોઈ જાણીએ છે જે, તેમને રામાયણ સિરિયલમાં રાવણ નું પાત્ર ભજવીને લંકેશ તરીકે નામના મેળવી હતી.ખરેખર તેઓ રામ ભક્ત હતા અને પોતાના જીવન કાળ સુધી તેમને રામ ભગવાનની ઉપાસના કરી છે. આજે અમે આપને તેના ઘર વિશે જણાવીશું કે તેમનું ઘર કેટલું મનમોહક છે.

07 16 32 Arvind Trivedi Upendra Trivedi 5

અરવિંદ જી નું નિધન થતા ઈડર (પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઇડર ખાતે તેમનો બંગલો આવેલો છે. જ્યારે તેમનું જૂનું મકાન ઇડરના કુકડિયા ગામ ખાતે આવેલું છે. ઇડર ખાનાને બંગલો ખાતે તેમણે નામ પ્લેટમાં ‘લંકેશ’ લખાવ્યું છે. જ્યારે ઘરમાં પ્રવેશદ્વારા પર ‘રામ’ લખેલું છે. રામાયણમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી હકીકતમાં રામ ભક્ત હતા. તેમણે પોતાના ઘરમાં ભગવાન રામ તેમજ ભગવાન શિવની મૂર્તિની સ્થાપના કરાવી હતી.

07 16 37 Arvind Trivedi Upendra Trivedi 1

એ વાત જાણીને નવાઈ લાગશે કે તેઓ જન્મ જાત ગુજરાતી નાં હતા પરતું તેમનો જન્મમ મધ્ય પ્રદેશમાં થયો હતો. જે બાદમાં તેઓ કુકડિયા ગામ ખાતે આવ્યા હતા. બાદમાં ઇડર રહેવા લાગ્યા હતા.નિધન થતા જ અનેક લોકોએ ઘર અન્નપૂર્ણા ખાતે આવીને દર્શન કરી રહ્યા છે. જીવનમાં તેમને રાવણ ની ભૂમિકા ભજવી પણ ખરેખર તેમના જીવનમાં સકારાત્મક ઘણી હતી. ટીવી જગતમાં ‘રામાયણ’ સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓેએ ખુબજ ખ્યાતિ મેળવી હતી.

07 16 53 Arvind Trivedi Upendra Trivedi 7

જે બાદથી જ તેઓ ભગવાન રામની પૂજા કરવા લાગ્યા હતા. દર રામનવમીએ તેઓ અહીં જ ભગવાન રામની પૂજા કરતા હતા. રાત્રિ દરમિયાન સુંદરકાંડનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા.કહેવાય છે ને એક વ્યક્તિ ગમે એટલો મોટો માણસ કેમ ભલે ને બની જાય પરતું પોતાની જન્મ ભુમી અને કર્મ ભુમી ને નથી ભૂલતો. અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના હતા. કુંકડીયા ગામ ખાતે તેમનુ જૂનું મકાન હાલ પણ હયાત છે. તેમનો એક બંગલો ઈડર રોડ પર પણ છે. વર્ષમાં સાતથી આઠ વખત તેઓ અન્નપૂર્ણા નામના બંગલા ખાતે આવતા હતા.

07 16 57 Arvind Trivedi Upendra Trivedi 8

તેઓ અહીં 5-10 દિવસનું રોકાણ કરતતેમણે બંગલાની દીવાલ પર શિવ તાંડવ સ્ત્રોત લખાવ્યો છે. ઘરમાં અનેક જગ્યાએ રામ લખેલું છે. આ ઉપરાંત પટાંગણમાં જ લંકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરી છે.ભાઈના અવસાન બાદ અરવિંદ ત્રિવેદી એકલા પડી ગયા હતા. આજે તેઓએ પણ દુનિયાને અલવિદા કરી દીધી છે. અહીં રહેતા લોકો તેમને દાદા કે સાહેબ જ કહેતા હતા.

07 16 42 Arvind Trivedi Upendra Trivedi 10

અવિરતપણે તેઓ સેવા કાર્યો પણ કરતા હતા. તેઓ અંબાજી જતા પદયાત્રીઓની સેવા કરતા . ખરેખર આ ઘટ ના ખૂબ જ કરુણ બની કે તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *