સુરતના બાબરીયા પરીવાર ડીજીટલ લગ્ન કંકોત્રી મા એવી નોંધ લખાવી કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે ! જુઓ શુ છે

લગ્ન એ જીવનનો સૌથી યાદગાર પ્રસંગ છે. આ પ્રસંગને જગત આખું યાદ રાખે એ માટે ખૂબ જ જોરશોરથી તૈયારીઓ કરે છે. એક સમય એવો હતો કે જ્યારે સાદગીથી લગ્ન કરવામાં આવતા તો પણ સોળે કળાએ નીરખીને આવતા પરંતુ આજના સમયમાં લગ્ન પ્રસંગ માત્ર એક દેખાવળો બનીને રહી ગયો છે અને એકબીજાની અદેખાઈઓ કરીને ખાલી ખોટા ખર્ચાઓ કરે છે. એવા સમયમાં સુરત શહેરના પરિવારે એ ખૂબ જ ઉમદા વિચાર સાથે પોતાની દીકરીનાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

આપણે જાણીએ છે કે, હાલમાં સૌ કોઈ લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અવનવા વિચારો દ્વારા ખાસ બનાવે છે. જેમાં કંકોત્રીમાં કોઈ પ્રેરણાદાયી મેસજ લખવાનો ટ્રેન્ડ હાલમાં ખૂબ જ ચાલી રહ્યો છે, ત્યારે બાબરીયા પરીવારે પણ પોતાના દીકરીની લગ્નની કંકોત્રીમાં આવો જ એક સંદેશ તો લખાવ્યો પરંતુ આ સંદેશ દરેક વ્યક્તિઓ કરતા અલગ છે. આજમાં સમયમાં લગ્ન એ ખૂબ જ ખર્ચાળ બની ગયા છે તેનું કારણ છે કે લગ્નને ધામધૂમથી ઉજવવા માટે આપણે કારણ વગરના ખર્ચાઓ કરીએ છીએ.

લગ્ન પ્રસંગમાં વ્યવહાર જાળવો પણ સગા સંબંધીઓ માટે જરૂરી છે એટલા જ માટે બાબરીયા પરિવારે આવા મોંઘવારીનાં સમયમાં દરેક વ્યક્તિઓ માટે એક ઉત્તમ નિર્ણય લઈને પોતાના દીકરીનાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે પોતાની દીકરીની લગ્નની કંકોત્રી પણ આજના સમયની જેમ ડિજિટલ રાખી છે અને આ ડિજિટલ લગ્નની કંકોત્રીમાં માત્ર ચાર લીટીમાં જે સંદેશ લખ્યો છે એ લગ્નને રસપ્રદ અને ગૌરવશાળી બનાવે છે.

સુરત શહેરના રહેવાસી ચિ. હેતલના લગ્ન 25 ડીસેમ્બર 2022ના રોજ સુરત ખાતે છે અને પોતાની બહેનના લગ્નને યાદગાર બનાવવા જનકભાઈ બાબરીયાએ કાર્ડમાં નોંધ મૂકી છે જેમાં લખ્યું છે કે,: “મંડપ મૂહુર્ત અને પીઠી રસમ ઘરમેળે રાખી છે. ચાંદલા (રોકડ)/ વાસણ/વાસણ પેટે રોકડા/કવર/ગિફ્ટ સ્વીકારવાની પ્રથા બંધ છે. મામેરું /પાટ ઉઠામણ/જડ વાહવાની/ પહની પ્રથા બંધ રાખેલ છે.”

Picsart 22 12 17 14 25 44 819

ખરેખર આ સંદેશ એક ઉત્તમ પગલું છે. આવા આપના જુના રીતી રિવાજો આજના સમયમાં સામાન્ય વ્યક્તિ માટે બોજ રુપ બની જાય છે કારણ કે આ જગતમાં તને ગમે એટલું સારું કરશો તો પણ જગત આખું કંઇક તો ભૂલો અને ખામી શોધીને મેણા મારશે. તમને યાદ હશે કે જગતમાં કોઈએ ન ભર્યું હોય એવું મામેરું સ્વયં શ્રી દ્વારકાધીશે કુંવરબાઈનું ભરેલું છતાં પણ માત્ર એક નાની એવું ચૂંદડી માટે કુંવરબાઈને મેંણું મારેલ એટલે કુંવરબાઈએ પિતા નરસિંહને કહ્યું કે આટલું કર્યું છતાં પિતાજી માથે મેણું રહી ગયું અને ત્યારે નરસિંહ મહેતા એ સરસ વાત કરી છે કે, આ જગતમાં તમે ગમે એટલું કરશો તો પણ વ્યક્તિઓ એમા ખામીઓ શોધશે અને એનું નામ જ વ્યવહાર છે. ખરેખર બાબરીયા પરિવારે જુના રીતિ રિવાજોને બદલીને ઉમદા વિચાર સાથે દીકરીના લગ્ન યોજવા જઇ રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *