થીજવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર! હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કરી દીધી ભારે આગાહી, કહ્યું આ તારીખથી ઠંડીનું જોર વધશે…જાણો વિગતે

આપણે જાણીએ છે કે હવે શિયાળાની ઋતુનો વિદાય લેવાનો સમય આવી ગયો છે, પરંતુ હાલમાં જ ફરી એકવાર હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી એ આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આખરે શું આગાહી સામે આવી છે. આપણે જાણીએ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ડબલ સીઝનની ઝપેટમાં આવી ગયું છે. આ કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. તાવ, શરદી, ખાંસીના દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે.

હવે ફરી એકવાર થીજવતી ઠંડી પડી શકે છે કારણ કે જ્યના હવામાનમાં ફેરફાર થશે. હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 8, 9 અને 10 ફેબ્રુઆરીથી રાજ્યના હવામાનમાં ફેરફાર થશે અને ક મોસમી વરસાદ થવાની શક્યતા નથી.

સૌથી ખાસ વાત એ છે કે, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. 9 અને 10 ફેબ્રુઆરીએ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો દેખાઈ શકે છે.

ચોટાઉદેપુર, રાજપીપળા, ડાંગ, સુરત, વલસાડ, વાપી, ભરૂચ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે. 10 ફેબ્રુઆરી સુધી પવનની ગતિ સામાન્ય કરતાં વધવાની ધારણા છે. તમારી સલામતી માટે આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની વિનંતી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *