બૉલીવુડ પર તૂટયો દુ:ખનો પહાડ, વધુ એક નામચીન હસ્તીનું થયું નિધન, ડિસ્કો ડાન્સર મિથુન દા…

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીએ ગુરુવારે તેની માતા શાંતિરાણી ચક્રવર્તીને ગુમાવી દીધી છે. અભિનેતાના સૌથી નાના પુત્ર નમાશી ચક્રવર્તીએ દાદીના નિધનની પુષ્ટિ કરી હતી આનંદ બજાર સાથે વાત કરતા નમાશીએ તેની દાદીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું, હા સમાચાર સાચા છે દાદી હવે તેમની સાથે નથી.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મિથુન ચક્રવર્તીની માતા શાંતિરાણીનું 6 જુલાઈના રોજ નિધન થયું હતું તેણી લાંબા સમયથી વય સંબંધિત સમસ્યાઓથી પીડાતી હતી અને ગઈકાલે (6 જુલાઈ) તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા સેલિબ્રિટીઝ અને ચાહકોએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

ટોલીવુડ, બોલિવૂડ કલાકારો, રાજકારણીઓ અને જીવનના વિવિધ ક્ષેત્રોની હસ્તીઓએ ચક્રવર્તી પરિવારને થયેલા નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. બંગાળી રિયાલિટી શો ‘ડાન્સ બાંગ્લા ડાન્સ સીઝન 12’ના તેના સહ કલાકારોએ પણ તેમની ઊંડી શોક વ્યક્ત કરી છે.

મિથુન ચક્રવર્તીની કારકિર્દીના શરૂઆતના દિવસો સંઘર્ષથી ભરેલા હતા. તે જોરાબાગનમાં તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે રહેતો હતો. તે એક મધ્યમવર્ગીય બંગાળી પરિવારનો હતો. મિથુને હંમેશા કહ્યું છે કે તેના માતાપિતાએ તેને અને તેના ભાઈ-બહેનોનો સારો ઉછેર કર્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *