વનડે ટ્રીપ માટે બેસ્ટ ગણવામાં આવે છે ગુજરાતના નયનરમ્ય સ્થળને ! એક વખત તો જરૂર મુલાકાત લેજો દિલ ખુશ થઇ જશે….જુઓ તસ્વીર

પોલો ફોરેસ્ટ ઇકો ફ્રેન્ડલી પ્રકૃતિના પ્રેમીઓ અને સાહસિક માટેનો આશ્રય છે. પોલો-ગુજરાતમાં સૌથી પ્રાચીન ઐતિહાસિક સ્થળોમાંની એક, તેની સુંદર આસપાસની વનસ્પતિઓ, ફોરેસ્ટ એન્ડ મિલ્સ રસપ્રદ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે આશ્રય તરીકે સેવા આપે છે. તે એક બર્ડ વોચર્સનો આનંદ છે જે દુર્લભ પક્ષીઓની 200 થી વધુ પ્રજાતિઓ માટે અભયારણ્ય છે. તે જંગલના પક્ષીઓ અને અન્ય ઘણી પ્રજાતિઓનું એક નિવાસસ્થાન છે, જે હજુ સુધી આ છેલ્લા નિવાસસ્થાન પર ખૂબ જ હોલ્ડિંગ ધરાવે છે, જે રિવ્યૂટ્સ અને અસલ તળાવ દ્વારા સંપૂર્ણપણે શણગારવામાં આવે છે.

polo forest 1 1

આ ભૂમિ મહારાણાજીની વિચરણ ભૂમિ છે.ઐતિહાસિક અને પ્રકૃતીની સુંદરતાથી ભરપૂર આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા આવેલ મનમોહક અને ઐતિહાસિક સ્થાનો વિશે જાણીએ, જેની મુલાકાત લેવી જ જોઈએ. અભાપુરનુ શક્તિમંદીર : આ શિવશક્તિ મંદિર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે. દરવાજાની દિવાલ પર એક શિલાલેખ કોતરેલો છે. જેની ભાષા સ્પષ્ટ થતી નથી. આ મંદિર સૂર્યમંદિર હોવાનું મનાય છે. જોકે અન્ય સૂર્યમંદિરોથી વિરુદ્ધ આ મંદિર પશ્ચિમાભિમુખ છે.

Screenshot 2022 07 28 07 57 46 123 com.google.android.googlequicksearchbox 1

કલાત્મક છત્રીઓ; પોળોના પરીસરમાં આવેલી કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે. તેનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે. મોટાભાગની છત્રીઓ જોડી સ્વરૂપે (બેની જોડમાં) જોવા મળે છે. આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીના સમયનું હોવાનુ મનાય છે. શરણેશ્વર મહાદેવ : શરણેશ્વર મહાદેવનું મંદિર અભપુર જંગલોમાં છ વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે. આ મંદિરના સ્થાપક વિષે કોઇ ચોક્કસ માહિતી નથી.

મંદિરના ચોક્માં નંદી ચોકી આવેલી છે. મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્મના શિલ્પો કંડારેલાં છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગૂઢ મંડપ, શૃંગાર ચોકી વગેરે આવેલાં છે. સદેવંતનાં દેરા – આ મંદિરની સાથે સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકથા જોડાયેલી છે. આ દેરાંનાં સ્તંભોની કુંભીઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે. નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે. કેટલીક જગ્યાએ નીચેથી ઊગી નીકળેલાં વૃક્ષોએ લગભગ મંદિર ઊંચકી લીધું હોય તેમ જણાય છે.

Screenshot 2022 07 28 07 57 46 123 com.google.android.googlequicksearchbox 1

શરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામૂડા ચાર હાથવાળી મૂર્તિ છે. મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે. જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે. દર વર્ષે, ગુજરાત સરકાર સારી રીતે આયોજિત કરીને પોલો ફેસ્ટિવલ ઊજવે છે જેમાં સાહસિક પ્રવૃત્તિઓ, સાઇકલિંગ, કેમ્પિંગ અને ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલો ફોરેસ્ટમાં પોલો કેંમ્પ સીટી નુ સુયોજન હોય છે જ્યાં તમે રોકાઈ શકો છો અને પોલો ઉત્સવનો આનંદ માણી શકો છો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *