સાળંગપુર ધામ મા 7 વીઘામાં રૂ. 55 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાયું છે ! જુઓ અંદર ની ખાસ તસવીરો

ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ભોજનાલય સાળંગપુરનું ધામમાં બનાવામાં આવ્યું છે. આ ભોજનાલયમાં (salangpurbhojanalay)ભક્તોને નિઃસ્વાર્થ ભાવે ભોજન પીરસવામાં આવે છે. ચાલો અમે આપને આ ભોજનાલયની ખાસિયત જણાવીએ.
આપણે જાણીએ છે કે, સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ બિરાજમાન છે. વિશ્વમાં દરેક ખૂણે ફરી આવો પરંતુ તમને કષ્ટભજન દેવ જેવા હનુમાન ક્યાંય જોવા નહીં મળે.

IMG 20230609 WA0005

આજ સાનિધ્યમાં લાખો ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે, ત્યારે (megakitchen)યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરવા ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે કારણ કે આ ભોજનળયમાં ડાઇનિંગ ટેબલની પણ સુવિધા છે.

Screenshot 2023 06 09 11 51 12 642 com.google.android.googlequicksearchbox

આ ભોજનાલયમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. આલીશાન મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે.

IMG 20230609 WA0003

હાલ અહીં 160થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ભોજનાલય 7 વીઘામાં ફેલાયેલું છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું કરવામાં આવ્યું છે.

IMG 20230609 WA0006

ભોજનાલયયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે.

Screenshot 2023 06 09 10 10 17 191 com.google.android.googlequicksearchbox

ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110×278 ફૂટનો છે અને એમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકે છે.

IMG 20230609 WA0000

આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હોલ છે. આ ઉપરાંત ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ છે અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવ્યા છે. ભોજનાલયનું કિચન 60X100 ફૂટમાં બનાવવામાં આવ્યું છે.(kitchen)

IMG 20230609 WA0004

ખરેખર આ ભોજનાલય ગુજરાતનું સૌથી અત્યાધુનિક છે, જ્યાં લાખો ભક્તો ભોજન પ્રસાદ આરોગે છે. આવું આલીશાન ભોજનાલય ગુજરાતમાં ક્યાંય નથી. કહેવાય છે કે હનુમાનજી સાળંગપુરના કિંગ છે એટલે જ તેમના ભક્તોને પણ આલીશાન મહેલમાં જ ભોજન પ્રસાદ મળે તે માટે આવું અનોખું ભોજનાલય બનાવામાં આવ્યું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *