અમદાવાદના આ વ્યક્તિની ઈમાનદારીને સલામ, રસ્તા પર લાખો રૂપિયાના ઘરેણાંની પોટલી મળી તો મૂળ માલિકને પરત કરી…

આજના સમયમાં માનવતાની લાગણી બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, પણ જે વ્યક્તિના સંસ્કારમાં જ માનવતા હોય એ વ્યક્તિ આજના સમાજ માટે એક ઉત્તમ પ્રેરણા સમાન છે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિની વાત કરીશું, જેણે માનવતા દાખવીને સારું કાર્ય કર્યું છે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં લોકોને રસ્તે કે અન્ય જગ્યાએથી કિંમતી વસ્તુઓ મળે છે, તો એ વસ્તુઓને પોતાની માની લેતા હોય છે.

આ જગતમાં એવા પણ ઘણા હોય છે કે, બીજાની વસ્તુઓ મળતા જ તે વ્યક્તિના દુઃખને સમજી શકે છે. આવો જ એક કિસ્સો હાલમાં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બન્યો છે. અમદાવાદ પોલીસે સોશિયલ મીડીયાપ્લેટફોર્મ દ્વારા આ પ્રેરણાદાયી કિસ્સો શેર કરવામાં આવ્યો છે. ગુન્હાઓની ઘટનાઓ તમેં ઘણી સાંભળી કે જોઈ હશે પરંતુ આ માનવતા રૂપી કિસ્સો ખરેખર વખાણવા લાયક છે.

આ ઘટના અંગે માહિતી જાણીએ તો, અમદાવાદ ખાડીયા વિસ્તાર માં બેન્ડમાં નોકરી કરતા કર્મચારીને ખાડીયાની હવેલીની પોળ ખાતે ગાઠ બાધેલો હાથ રૂમાલ મળેલ જેમાં આશરે રૂપિયા ૭,૫૦,૦૦૦/- ના સોનાના દાગીના હતા. જે દાગીનાના મુળ માલિકને શોધી, માલિકની ખરાઈ કરી માલિકે તેના દાગીના ઓળખ બતાવતા તેઓને તેમના દાગીના સહી સલામત પરત કર્યા હતા.

આ કિસ્સો જોઈને એટલું ચોક્કસ સમજાય કે, જે વ્યક્તિને કિંમતી દાગીના મળ્યા, તેના મનમાં દાગીના જોઈને લાલચ ન જાગી પરંતુ જે વ્યક્તિના દાગીના ખોવાયા હશે, તેનું દુઃખ તેમના હ્નદયને સ્પર્શી ગયું હશે. આ જગતમાં ભાગ્યે જ એવા લોકો હોય છે કે જે બીજાના દુઃખને સમજી જાય છે. ખરેખર આજના સમયમાં લોકોને પાંચ -દસ રૂપિયા મળે તો પણ ખિસ્સામાં નાંખી લે છે, ત્યારે 7,50000 ના કિંમતી દાગીના પરત કરવા એ ખરેખર તે વ્યક્તિની ઇમદારી કહેવાય.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *