અનંત-રાધિકાના લગ્ન પેહલા મુકેશ અંબાણીની માતા કોકિલાબેનનો જન્મદિવસ ઉજવાયો ! જન્મદિવસને લઈને અંબાણી ફેમિલી ગયું આ મંદિરના દર્શને..જુઓ તસ્વીર
અંબાણી પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, સાથોસાથ 24 ફેબ્રુઆરીના રોજ કોકિલાબેન અંબાણી એ પોતાનો 90 મોં જન્મદિવસ મનાવ્યો છે. કોકિલાબેનના તમામ બાળકો મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર ખાસ હાજર રહ્યા જતા. તમને જાણીને આશ્ચય થશે કોકિલાબેને તેમના જન્મદિવસે તેમના બાળકો સાથે શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી. ખરેખર આ વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે અંબાણી પરિવારને શ્રીનાથજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે.
અંબાણી પરિવારના ચાહક ચાહક દ્વારા સોશિયલ મીડિયા પર કોકિલાબેન અંબાણીના 90મા જન્મદિવસની તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં જોઈ શકશો કે, નીના કોઠારી, દીપ્તિ સાલગાંવકર, અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી સાથે નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં હાજર રહ્યા હતા અને ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.તેમજ શ્રીનાથ દ્વારમાં જ કોકિલબેનના જન્મદિવસની ભવ્ય અને ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
કોકિલાબેન અંબાણીના જન્મદિવસ નિમિત્તે નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મંદિરને પણ ફૂલોની ખુબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. તેમજ સૌથી ખાસ વાત એ છે કે, નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પણ એન્ટિલિયામાં તેમના ઘરે તેમના માટે વિશેષ પૂજાનું આયોજન કર્યું હતું.
ખરેખર અંબાણી પરિવાર દરેક નાના મોટા પ્રસંગોને ખુબ જ સુંદર અને ભવ્ય રીતે આયોજનકરવામાં આવે છે. આ પહેલા પણ અંબાણી પરિવારમાં બર્થડેનું પ્રિ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેનું આયોજન કોકિલાબેનની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.