ચોમાસામાં ફરવા જવા માટેની બેસ્ટ પ્લેસ છે અમદાવાદથી 4 કલાક દૂર, કેમ્પ ફાયર-રહેવાની પણ સુવિધા
વાત કરીએ તો આપણે સૌકોઈ જાણીએજ છીએ કે ગુજરાતની અમુક ખાસ જગ્યાઓ જે ફરવાલાયક છે તે આજના સમયમાં ખુબજ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતી લોકો હરવા ફરવાનું ખુબજ પસંદ કર્તા હોઈ છે તેમજ ચોમાસાની સીઝનમાઁ તો ગુજરાતના અમુક હિલ સ્ટેશન પર એટલો સુંદર દ્રશ્ય જોવા મળતું હોઈ છે જેની તમે વાતજ ના કરો. આવો તમને ગુજરાતના એવા ઘણા ફરવા લાયક સ્થળ વિશે વાત કરીએ જ્યા ચોમાસાની સીઝનમાં અધભૂત નજારો જોવા મળતો હોઈ છે.
ધોધ કે ઝરણા જોવા માટે લોકો જે ગુજરાતની બહાર ફરવા જાય છે એમને જણાવી દઈએ કે આપણાં ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓએ ધોધ જોવા મળે છે જ્યાં જઈને તમે એ વહેતા પાણીનો ખૂબ આનંદ ઉઠાવી શકો છો. આજે અમે તમને એક એવાજ ધોધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની સુંદરતા જોઈ તમે પણ ચોકી જશો.
નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિલોમીટર દુર અને થાવડીયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દુર આવેલ છે. તે શુલપેનશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલું છે જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના ભાગનું ઘર છે. અમદવાદથી આ જગ્યા માત્ર 203 કિમી દૂર આવેલી છે. ધોધ સુધી પંહોચવા માટે વડોદરા થઈને જ જબુ પડે છે સાથે જ વડોદરાથી એ જગ્યા પર પંહોચવા માટે બસ પણ મળી રહે છે. તેમજ વાત કરીએ તો ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ માટે ઘણું પ્રખ્યાત છે પણ હાલ આ સુંદર જગ્યા લોકો માટે ધીરે ધીરે આકર્ષણનું કારણ બની રહ્યું છે. ત્યાં જવાવાળા લોકો તો એમ પણ કહે છે કે ડેમ જોવામાં મજા આવે તેના કરતા વધુ મજા મજા ઝરવાણીનો ધોધ જોવામાં આવે છે. સાથે જ ચોમાસામાં આ ધોધની મુલાકાત અચૂક લેવા જેવી હોય છે.
આમ ત્યાંથી આસપાસ ના સ્થળોની વાત કરીએ તો ઝરવાણી ધોધથી 100 કિમી જેટલું દુર નિનાઈ ધોધ પણ આવેલ છે. સાથે જ ત્યાં આસપાસ શૂલપાણેશ્વર મંદિર અને અભયારણ, રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ અને ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો આનંદ તમે માણી શકો છો.